ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી બુધવારથી શરૂ થશે.
વર્ષ 2018માં ટીમ ઇંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણીમાં ઈન્ડિયાને હરાવ્યું હતું
ટીમ ઈન્ડિયામાં બે સ્પિન બોલરોનો થઈ શકે છે સમાવેશ
ટીમ ઈન્ડિયાના ઓપનર્સને લઈને ચિંતા
હજી સુધી નોટિંઘમ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 ટેસ્ટ મેચ રમાયેલી છે. જેમાં 2 મેચ ટીમ ઈંગ્લેન્ડ અને 2 મેચ ઈન્ડિયા જીતી હતી. બાકીની 3 મેચો ડ્રો ગઈ હતી. ભલે ટીમ ઈન્ડિયાને વર્ષ 2018માં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અંતિમ ટેસ્ટ મેચમાં ઈન્ડિયા ટીમ મોટી જીત નોંધાવવામાં સફળ રહી હતી. વિરાટ કોહલીએ પહેલી ઇનિંગમાં 97 રન અને બીજી ઇનિંગમાં 103 રન ફટકાર્યા હતા. ભારતે પહેલી ઇનિંગમાં 329 અને બીજી ઇનિંગમાં 7 વિકેટ પર 352 રન ફટકારી ડિકલેર કર્યું હતું. જોકે ટીમ ઈંગ્લેન્ડ 161 અને 317 રન જ બનાવી શકી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 203 રનથી જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયા માટે ઓપનર્સ ચિંતાજનક
કોઈ પણ ટીમમાં માટે ઓપનિંગ બેટ્સમેન મહત્વપૂર્ણ હોય છે. પરંતુ ટીમ ઈન્ડિયાને શ્રેણીની શરૂઆત પહેલા જ બે મોટા ઝટકા લાગ્યા છે. ઓપનર બેટ્સમેન શુબમન ગિલ ઘાયલ થવાના કારણે શ્રેણીથી બહાર છે. તે ઉપરાંત મયંક અગ્રવાલ પણ ઘાયલ હોવાના કારણે પહેલી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કેએલ રાહુલ અને હનુમા વિહારીને મેચમાં રમાળી શકે છે. કેએલ રાહુલે ઓપનર તરીકે ટેસ્ટમાં 5 સદી ફટકારી છે.
ટીમમાં બે સ્પિન બોલરોનો થઈ શકે સમાવેશ
ઓફ સ્પિનર આર અશ્વિન અને લેફ્ટ હેન્ડેડ સ્પિનર બોલર રવીન્દ્ર જાડેજાને ટેસ્ટ મેચ રામવાની તક મળી શકે છે. જોકે બંને ખેલાડીયો સારા બેટ્સમેન પણ છે. ફાસ્ટ બોલર જસપરિત બુમરહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માનો ટીમમાં સમાવેશ થઈ શકે છે. ટીમ ઇંગ્લેન્ડને પણ શ્રેણીની શરૂઆત પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર બેન સ્ટોકસે માનસિક તણાવના કારણે અમુક સમય માટે બ્રેક લીધો છે. તેની જગ્યાએ ટીમમાં ક્રેગ ઓવર્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.