વાપીના કરવડ ગામેથી ધડ, માથું અલગ કરાયેલી હાલતમાં 9 વર્ષના બાળકનો મૃતદેહ સાંપડ્યો હતો. આ મામલે પોલીસ તપાસમાં એવા ખુલાસા થયા છે જેને લઈને ખુદ પોલીસ પણ અવાચક બની ગઈ છે.
વાપીના કરવડ ગામે દમણગંગા નહેરમાં મળી આવેલા મૃતદેહનો મામલો
સેલવાસના સાયલીના 9 વર્ષના ચૈતાની હત્યા થયાનો ખુલાસો
વાપીના કરવડ ગામેથી 9 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. દમણગંગા નહેરમાં સેલવાસના સાયલી ગામના 9 વર્ષીય ચૈતાનું ધડ મળી આવ્યું હતું. આ હત્યા પ્રકરણમાં સેલવાસ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જે દરમિયાન ચોકાવનારો ખુલાસા થયા છે અને ચૈતાની હત્યા પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા મેલી વિદ્યા કરી નર બલી ચઢાવવામાં આવી હોવાનો પર્દાફાશ થતા હાહાકાર મચી ગયો છે. તો આ મામલે સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તપાસનો દૌર લંબાવ્યો છે.
સેલવાસ પોલીસે ચૈતાની હત્યાના કેસમાં 3 આરોપીની કરી ધરપકડ
આ ચકચારી ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય આરોપીઓએ ચૈતાનું અપહરણ કરી અને અંધશ્રદ્ધામાં તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલ મુખ્ય આરોપી પણ સગીર હોવાનું સામે આવ્યું છે. સગીર ચિકન શોપ પર સોપ ખાટકીનું કામ કરતો હતો.જેની પૂછપરછમાં સામે આવ્યું કે રમેશ નામના આરોપીએ પૈસાનો વરસાદ કરાવવાની લાલચ આપી હતી.જે માટે મેલી વિદ્યા કરાવી હતી આથી સગીર આરોપીએ ચૈતાનું અપહરણ કર્યું હતું.
સગીર આરોપીએ ચૈતાનું અપહરણ કરી સહ આરોપી શૈલેષ સાથે મળી કરી હતી હત્યા
ત્યારબાદ તેના સહ આરોપી શૈલેશ સાથે મલી વિદ્યા કરી હત્યા નિપજાવી હતી. સગીર આરોપીએ અસીમ શકિત મળે તે માટે ચૈતાની હત્યા કરી નર બલી ચડાવી હોવાનો ખુલાસો થતા પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. ઉલ્લેખનિય છે એ ઘટનામા 9 વર્ષીય ચૈતાનો મૃતદેહનો અડધો ભાગ વાપીના કરવડ નજીકથી મળ્યો હતો જ્યારે અડધો ભાગ સાયલીના સ્મશાન નજીક મળ્યો હતો.