હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણીઓની ઉજવણીઓથી કોરોના વધ્યો છે. સરકાર હવે કોરોના પર અંકુશ મેળવવા શરૂઆત કરે.
કોરોનાના કેસ વધતા HCની ટકોર
"ચૂંટણીઓની ઉજવણીથી વધ્યો કોરોના"
"કોરોના પર અંકુશ મેળવવા શરૂઆત કરો"
રાજ્યમાં વકરતી કોરોનાની સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોરોનાની સ્થિતિ મામલે હાઈકોર્ટ સરકારને ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણીઓની ઉજવણીઓથી કોરોના વધ્યો છે. સરકાર હવે કોરોના પર અંકુશ મેળવવા શરૂઆત કરે.
ગુજરાતમાં હજુ સુધી કોરોનાની સ્થિતિ સુધરી નથી. આથી રાજકીય ઉજવણીઓ નાગરિકો માટે નુકસાનકારક ન બને. આપને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી 6 સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાની અત્યાર સુધીની પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 460 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો 315 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. હાલ રાજ્યમાં 2 હજાર 136 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4 હજાર 408 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખ 62 હજાર 487 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી 8 લાખ 20 હજાર 700 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 1 લાખ 65 હજાર 538 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.