સુરતના રિંગરોડ પર આવેલ ડિસ્ટ્રીક કો ઓપરેટિવ બેંકની બહાર એલિવેશન ગ્લાસ લગાવેલા છે. જે ગ્લાસને પક્ષીઓ આકાસ સમજી બેઠા અને ઉડતી વખતે તેઓ ત્યા ધડાકાભેર અથડાયા જેથી પક્ષીઓના મોત થયા. જેથી આ ઘટના હાલ સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
એલિવેશન ગ્લાસને પક્ષીઓ આકાશ સમજી બેઠા
ઝૂંડમાં ઉડતા પક્ષીઓ કાચ સાથે ધડાકાભેર અથડાયા
કાચ સાથે અથડાવાને કારણે પક્ષીઓના ઝૂંડનું મોત
જો તમે રોઝી સ્ટર્લિંગ પક્ષીનું નામ સાંભળ્યું હશે તો તમને ખ્યાલ હશે કે આ પક્ષીઓ સમૂહમાં ઉડતા હોય છે. સાથેજ આ પક્ષીઓ કરતબ કરતા પણ જોવા મળે છે. જોકે સુરતમાં રિગ રોડ એક સાથે આ પક્ષીઓનું ઝુંડ નીચે પટાકાયું જેના કારણે ઘણા ખરા પક્ષીઓના મોત થયા છે. જેથી આ ઘટના હાલ સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
હિમાલય તરફથી આવે છે બધાજ પક્ષીઓ
જાણીને આપને નવાઈ લાગશે કે આ પક્ષીઓ હિમાલય તરફથી આવતા હોય છે. તેમા પણ ખાસ કરીને શિયાલામાં આ પક્ષીઓ સુરત આવતા હોય છે. ટોળામાં રહેતા આ પક્ષીઓ અવકાશમાં જ્યારે અવનવા કરતબ કરે ત્યારે અદ્ભુત નજારો જોવા મળતો હોય છે.
કાચને અવકાશ સમજતા થયું મોત
જોકે સુરતના રિંગરોડ પર આવેલ ડિસ્ટ્રિક કો ઓપરેટિવ બેંક આવેલી છે. જે બેંકની ઓફિસ ઉપરની સાઈડથી બનાવામાં આવી છે. ઓફિસ પર જે કાચ લાગાવામાં આવ્યા છે તે કાચનું એલિવેશન આકાશ જેવા વાદળી કલરનું છે. જેથી પક્ષીઓ આ કાચની ઓફિસને ખુલ્લુ આકાશ સમજી બેઠા હતા. જેના કારણે એક સાથે કાચની દિવાલ પર અથડાયા અને તેમનું મોત થયું છે.
મોટા ભાગની ઈમારતો પર આજ ગ્લાસ લગાવાય છે.
ઉલ્લેખનીય છે કે હાલ બધીજ જગ્યાએ મોટા ભાગની ઈમારતો પર એલિવેશન ગ્લાસ લગાવામાં આવે છે. પરંતુ આ ગ્લાસને પક્ષીઓ સમજી નથી શકતા અને સુરતમાં બનેલી આ ઘટના તેનું એક તાજુ ઉદાહરણ છે. મોટા ભાગના શહેરોની બિલ્ડિંગો પર હાલ આ પ્રકારના જ ગ્લાસ જોવા મળતા હોય છે. પરંતુવ આ ગ્લાસ પક્ષીઓ માટે ગમે તે સમયે જીવલેણ સાબીત થઈ શકે છે.