ભગવંત માન પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા
પંજાબના સંગરુરમાં લોકસભાની પેટાચૂંટણી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ભગવંત માન ધારાસભ્ય બન્યા બાદ ખાલી પડેલી આ સીટ પર શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના ઉમેદવાર સિમરનજીત સિંહ માનને મોટી જીત મળી છે. સાથે જ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં સરકાર બનાવવા છતાં ભગવંત માન પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા અને માત્ર ત્રણ મહિનામાં જ તેમનો કિલ્લો તૂટી પડ્યો.
Punjab | Simranjit Singh Mann of Shiromani Akali Dal (Amritsar) wins Sangrur Lok Sabha bypoll pic.twitter.com/WD2rZMIGDH
અકાલીના સિમરનજીત સિંહે આપના ઉમેદવાર ગુરમૈલ સિંહને 7000 વોટોથી પરાજય આપીને સંગરુર બેઠક કબજે કરી લીધી છે.
ભગવંત માનની હાર અને સિમરનજીત સિંહ માનની જીત પાછળ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસનો પણ મોટો રોલ માનવામાં આવી રહ્યો છે. મુસેવાલાની હત્યા બાદ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને લઇને આપ સરકાર સામે નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન સિમરનજીત સિંહ માનએ મુસેવાલાનું સમર્થન કર્યું હતું અને માન સરકારને આડેહાથ લીધી હતી.
સિમરનજીત ભૂતકાળમાં સંગરુરથી સાંસદ રહી ચૂક્યા છે
પૂર્વ આઈપીએસ અધિકારી સિમરનજીત સિંહ માન 1999માં પણ સંગરુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. સિદ્ધુએ મુસેવાલાના મૃત્યુને મુદ્દો બનાવી દીધો હતો અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર માટે ભગવંત માન જવાબદાર હતા. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે અહીં રોડ શો પણ કર્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટીની સરકારના તમામ મંત્રીઓ અને 92 ધારાસભ્યોએ પણ પ્રચાર કર્યો હતો. આવી સ્થિતિમાં, જો પરિણામ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં આવે છે, તો તે તેના માટે તેની પ્રતિષ્ઠા ગુમાવવા જેવું હશે.
Setback to AAP in Punjab, SAD-Amritsar's Simranjit Singh Mann claims victory in Sangrur bypolls
આપના પરાજય પાછળ સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડની મોટી ભૂમિકા
ભગવંત માનની હાર અને સિમરનજીત સિંહની માનની જીત પાછળ સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડની પણ મોટી ભૂમિકા હોવાનું મનાઈ રહ્યું છે. આપ સરકારે હત્યાના એક દિવસ પહેલા સિંગર સિદ્ધૂ મૂસેવાલાની સુરક્ષા હટાવી હતી જેને કારણે ગુનેગારો તેમની હત્યા કરવામાં સફળ રહ્યાં હતા. આને કારણે લોકોમા મોટી નારાજગી જોવા મળી હતી અને તેની અસર સંગરુર પેટાચૂંટણીમાં જોવા મળી હતી અને તેને કારણે અકાલીના ઉમેદવારની જીત થઈ હતી.