મોબ લિંચિંગના મામલે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે હવે કોઈપણ વ્યક્તિ ભડકાઉ ભાષણો કરશે અથવા તો ખોટા સમાચાર ફેલાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ જો કોઈ ભડકાઉ પોસ્ટ મુકશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ખોટી અફવાઓના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે.
ખાસ કરીને વોટ્સએપ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ભડકાઉ પોસ્ટ અને ખોટા સમાચાર લોકો વચ્ચે ફેલાઈ રહ્યા છે અને આવા ખોટા મેસેજના જાસામાં આવી લોકોનાં ટોળાં નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.