યુપીમાં મોદીને ચહેરો બનાવવા પર SP અને કોંગ્રેસ મુસલમાનોને એકત્રીત કરવામાં સફળ થઈ શકે છે.
RSSની બેઠકમાં તૈયાર થઈ રણનીતિ
વિધાનસભા ચૂંટણીમાં હવે મોદીનો ચહેરો નહીં હોય
ક્ષેત્રીય નેતાઓના મુકાબલે PM મોદીનો ચહેરો સામે મુકવાથી નુકશાન થયું
ઉત્તરપ્રદેશમાં BJPના ભવિષ્યની રાજનીતિ લગભગ નક્કી થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દિલ્હીની બેઠકમાં વર્ષ 2022માં UP વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં લડવાનો નિર્ણય કર્યો છે. તેમાં પણ મહત્વ પૂર્ણ નિર્ણય એ માનવામાં આવે છે કે UP અને બીજા પાંચ રાજ્યોમાં થનાર ચૂંટણીમાં હવે પ્રધાનમંત્રી મોદી ચહેરો નહીં રહે.
સંઘનું માનવું છે કે ક્ષેત્રીય નેતાઓના મુકાબલે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો સામે મુકવાથી તેમની છવીને નુકશાન થયું છે. વિરોધી કારણ વગર તેમને નિશાન બનાવે છે. સંઘ કોઈ પણ નેતાને અલગ કરવા અથવા નારાજગી સાથે તેમને છોડવા તૈયાર નથી. હવે આ વાત પર યોગીને ખરૂ ઉતરવું પડશે. મહારાષ્ટ્રમાં શરદ પવાર પરિવારને સાથે લાવવા પર પણ વિચાર થઈ રહ્યો છે.
UPમાં મુસ્લિમ વોટર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસે મોદીની ઈમેજ મુસલમાન વિરોધી બનાવવાની રણનીતિ અપનાવી હતા. જેનાથી 70 % મુસલમાન વોટરે તૃણમૂલ કોંગ્રેસને વોટ આપીને ચૂંટણી પરિણામોને એક તરફા કરી દીધા. પશ્ચિમ બંગાળ બાદ ઉત્તરપ્રદેશમાં પણ મુસલમાન વસ્તી વધારે છે અને લગભગ 75 સીટો પર તે ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે. UPમાં પણ મોદીને ચહેરો બનાવવા પર સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ફરી મુસલમાનોને એકત્રીત કરવામાં સફળ થઈ શકે છે.
યોગી પર કેમ મુકવામાં આવી રહ્યો છે વિશ્વાસ
સૂત્રોની વાત માનીએ તો બેઠકમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને પૂર્વ ઉત્તરપ્રદેશમાં યોગીની ઈમેજ મુસલમાન વિરોધી નથી અને ગોરખપુરની સાથે જોડાયેલા વિસ્તારોમાં મુસલમાનો અને પછાત વર્ગોમાં ગોરખનાથ મંદિર પર વિશ્વાસ છે. મુખ્યમંત્રી બન્યા પહેલા સુધી યોગી આદિત્યનાથ મંદિરના મહંત હતા અને સ્થાનીય મુસલમાનોના વિવાદ મંદિરમાં બેસીને ઉકેલતા હતા અને તેમની મદદ પણ કરતા હતા. મકર સંક્રાતિ પર મંદિરમાં ખિચડી મેળો લાગતો હતો ત્યારે મોટાભાગની દુકાનો મુસ્લિમ વ્યાપારીઓની જ લાગતી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીજી એક વાત પર ગંભીર વિચાર કરવામાં આવી રહ્યો છે કે આ વખતે UP વિધાનસભા ચૂંટણીમાં BJP મુસ્લિમ ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારશે. જેના કારણે વિરોધીઓેને તેમની મુસ્લિમ વિરોધી છબી બનાવવાની તક ન મળે. ગયા વર્ષે BJPએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન હતી આપી.