છેલ્લા ઘણા મહિનાઓથી, સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. રોગચાળા માંથી મુક્તિ મેળવવા માટે, રસી ઉપર દિવસ-રાત વૈજ્ઞાનિકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ હવે કોવિડ -19 ને લઈને નવી શોધ કરી છે.
કોરોના વાયરસ ઉપર કરવામાં આવ્યું નવું સ્ટડી
રિસર્ચ સ્ટડીમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
કોરોના ફેરવાઇ શકે છે મોસમી બીમારીના રૂપમાં
'ફ્રન્ટીયર ઇન પબ્લિક હેલ્થ' જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, સંશોધકો કહે છે કે ભવિષ્યમાં, જો લોકોમાં હર્ડ ઇમ્યુનિટી નો નહીં થાય, ત્યારે કોરોના મોસમી રોગ બની જશે.
શું કહે છે અહેવાલના તારણો
અહેવાલમાં સંશોધનકારોએ જણાવ્યું છે કે જેમ જેમ હવામાન બદલાય છે તેમ તેમ ઠંડી અને શરદી જેવા રોગો ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. તે જ રીતે, કોરોના વાયરસ પણ મોસમી બીમારી જેવો થઈ જશે, જે ખાંસી, શરદી અને શરદી ફેલાવે છે. કોરોના વાયરસની રસી કોરોના વાયરસને હરાવવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી અથવા જો લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થતી નથી, તો કોવિડ -19 આવા સ્વરૂપમાં ફેરવાઇ શકે છે.
લેબનીસ અમેરિકન યુનિવર્સિટી ઓફ બેરૂતનાં સંશોધનકાર હસન જરાકતે આ અધ્યયનમાં લોકોને કોરોના વાયરસ વિશે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ એમ સ્ટોપ થવાનો નથી. લોકોમાં જય સુધી હર્ડ ઇમ્યુનિટી વિકસિત નહીં થાય ત્યાં સુધી, તે દર વર્ષે લોકોને પોતાની ચપેટમાં લેતી રહેશે.
કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે
તેમણે કહ્યું,' લોકોને કોરોના વાયરસની સાથે જીવવા માટે ટેવાવું પડશે. આનાથી બચવા માટે, તેઓએ હંમેશાં માસ્ક પહેરવું પડશે અને સતત હાથ ધોતાં રહેવા, પહેલાની જેમ ભીડવાળી જગ્યાઓ પર જતાં પોતાને રોકવા પડશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ જીવલેણ વાયરસ સામે લોકોમાં એન્ટિબોડી અથવા હર્ડ ઇમ્યુનિટી પેદા થાય તે પહેલાં કોરોના વાયરસની ઘણી વેવ્સ આવી શકે છે.
મોસમી પેટર્નને અનુસરે છે વાયરસ
વધુમાં તેમણે કહ્યું હતું કે રેસ્પીરેટરી વાયરસ શીતોષ્ણ પ્રદેશમાં મોસમી પેટર્નને અનુસરે છે. ઉદાહરણ તરીકે, તેમણે જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝા અથવા અન્ય તમામ પ્રકારના કોરોના વાયરસ કે જે શરદી અને અન્ય શ્વસન રોગોનું કારણ બને છે તે ટેમ્પરેટ રિજનમાં એટલે કે શીતોષ્ણ ક્ષેત્રમાં શિયાળાના વાતાવરણમાં ફેલાય છે. પરંતુ ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં, તેઓ આખા વર્ષ દરમિયાન ફેલાતા રહે છે.
સંશોધનકારો કહે છે કે વાયરસ હવા અથવા સપાટી પર સરળતાથી જીવી શકે છે. સંક્રમણની પ્રત્યે હ્યુમન બિહેવિયર, લોકોની સંવેદનશીલતા, હવામાનને કારણે તાપમાન અને ભેજમાં ફેરફાર ને લીધે પણ ફરક પડે છે. આ કારણ છે કે વર્ષના જુદા જુદા સમયે શ્વસન વાયરસનું સંક્રમણ વધે છે. કમનસીબે કોવિડ -19 નો ટ્રાન્સમિશન રેટ ફ્લૂ જેવા સામાન્ય વાયરસ કરતા ઘણો વધારે છે.
આ ચેતવણી ભારત જેવા દેશો માટે પણ ચિંતાજનક છે કેમ કે બહરત ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવે છે, અને હાલ ભારતમાં કોરોના વ્યાપક છે.