લોકડાઉનના કારણે આપણે કેટલાય દિવસોથી ઘરમાં જ બંધ છીએ. આવા સંજોગોમાં હેલ્થ એક્સપર્ટ કહે છે વ્યક્તિનું વજન વધી શકે છે. ઘરમાં રહેવાથી તણાવ વધે છે અને લોકો વધુ જમવા લાગે છે. તેમજ વ્યાયામ કરવામાં પણ આળસ આવે છે. તેનાથી બચવા માટે ખાણીપીણીની આદતોમાં બદલાવ લાવો.
હાલ સમગ્ર દેશમાં 3 મે સુધી લોકડાઉન છે
લોકડાઉનમાં વજન ન વધે તે માટે ખાણીપીણીની આદતો સુધારો
રોગોથી બચવું હોય તો તમારા ડાયેટમા કરો આ ફેરફાર
નિષ્ણાતોનો મત છે કે શારિરીક ગતિવિધિમાં કમીના કારણે એક વયસ્ક વ્યક્તિ રોજ 400થી ઓછી કેલરી બર્ન કરી શકે છે. જ્યારે 1500 કેલરી રોજ લે છે. આવા સંજોગોમાં કેલરી બર્ન ન થવાથી મેદસ્વીતાનો ખતરો વધે છે. મેદસ્વીતા વધવાથી બીજી લાઇફ સ્ટાઇલ બિમારીઓ જેમકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હ્રદય સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો રહે છે. તેથી ડાયેટમાં બદલાવ લાવવો જરુરી છે.
ઉકાળેલા ભાત જ ખાવ
ડાયેટમાં બટાકા, ભાત, ખાંડ અને મીઠી વસ્તુઓથી દુર રહો. શાકભાજી ઓછા મળે છે. તેથી મોટાભાગના ઘરમાં બટાકાનું શાક બનતુ હોય છે. બટાકાને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. બટાકાને હંમેશા ઉકાળીને જ ઉપયોગમાં લો. બટાકા ઉકાળ્યા કે બાફ્યા બાદ તેમાનો સ્ટાર્ચ ખાસો ઓછો થઇ જાય છે. તેમા કાર્બ્સની માત્રા ઘટી જાય છે અને મેદસ્વીતા વધતી નથી. સાથે જ બટાકાને સીધા ફ્રાય કરીને ખાવાથી બચો.
એક રોટલી ઓછી ખાવ
ઘરમાં હોવ ત્યારે હંમેશા ભુખ કરતા એક રોટલી ઓછી ખાવ. અત્યારે ડાયેટ કન્ટ્રોલ કરવુ યોગ્ય નથી કેમકે ઇમ્યુનિટિ વધારવાની પણ જરુર છે. ડાયેટિંગથી ઇમ્યુનિટી પર અસર પડી શકે છે. ડાયેટિંગના કારણે શરીરને કેલરીની પુર્તિ માટે પ્રોટીન પર નિર્ભર રહેવુ પડે છે. ઇમ્યુનિટી વધારવા માટે તે ઉપયોગી છે. કેલરીને ઘટાડવા માટે શાકભાજી અને ફળોની માત્રા વધારો. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ્સ વધુ હોય છે. શક્ય હોય તેટલું પાણી પીવો. લોટને ચાળ્યા વગર અથવા જાડો લોટ ખાવ. ઠોસ અનાજ ખાવ.
સલાડ અને ફાઇબર વધુ લો
એકસ્ટ્રા કેલરીને નિયંત્રિત કરવા માટે જરુરી છે કે ખાવામાં સલાડ અને ફાઇબર ડાયેટમાં વધુ લો. સલાડમાં કેલરી બહુ ઓછી હોય છે. તેથી જમતા પહેલા ભરપુર સલાડ ખાવ. તે ખાશો તો રોટલીની માત્રા આપોઆપ ઘટી જશે. કાર્બ્સ અને ફેટથી જ મેદસ્વીતાને ખતરો છે.