ઈતિહાસના મહામંથનમાં આજે વાત કરીશું ધરતી પરના સ્વર્ગ એવા કશ્મીરના ઇતિહાસની.. સામાન્ય રીતે આપણે કશ્મીરના ઈતિહાસની વાત 1947 કે એ પહેલા જ કરતા હોઈએ છીએ પરંતુ કશ્મીરનો ઈતિહાસ આજકાલનો નહીં યુગો જૂનો છે.. આ ભૂમિ એટલે કશ્યપ ઋષીથી લઈને આજના શાસકો સુધીની ભૂમિ.. આ ભૂમિ હિન્દુ આસ્થાનું કેન્દ્ર પણ રહી તો શીખ અને અફઘાન શાસકોએ પણ અહીં શાસન કર્યુ.. આઝાદી પછી કશ્મીરમાં કેવી કેવી ઘટનાઓ બની તે જાણીતો ઈતિહાસ છે.. અને અંતે ક્રાંતિના મહિના કહી શકાય એવા ઓગસ્ટમાં એ ઘડી પણ આવી જેની દેશ રાહ જોઈ રહ્યો હતો.. એ ઘડી એટલે કલમ 370 અને 35-Aનું નાબૂદ થવુ.. હવે ફરી એકવાર કશમીર નવો અધ્યાય લખી રહ્યુ છે ત્યારે આવો જાણીએ કશ્મીરને ઈતિહાસની દ્રષ્ટિએ