મંગળનો પ્રકોપ શનિના પ્રકોપથી ઓછો નથી હોતો, માત્ર અંતર એટલું હોય છે કે શનિનો પ્રકોપ આપમેળે મળે છે. પરંતુ મંગળ માનવીને સ્વંય એટલો ક્રોધિત કરે છે કે તેના ન માત્ર પોતાના સંબંધો, મિત્ર અથવા સહયોગી પરંતુ પોતાની જાત પણ દુશ્મન બની જાય છે.
મંગળ પોતાના ખરાબ પ્રભાવથી માનવીના દુશ્મન ઉભા કરે છે, ખરાબ ટેવો તરફ ઉશ્કેરે છે. જિદ્દી બનાવે છે, ઉપરાંત સ્વજનોથી પણ દુર કરી નાંખે છે. જો તમારી આસપાસ પણ કોઇ મંગળના પ્રકોપથી પીડિત જોવા મળે છે તો તેના માટે અહીં કેટલાક ઉપાય છે જે ઘણા લાભદાયક છે.
મંગળના પ્રકોપથી બચવા મંગળવારે કરો આ ઉપાય
1) જેના પર મંગળનો પ્રકોપ હોય તેણે નારિયળનું પાણી જરૂર પીવું જોઇએ. તેનાથી મંગળ શાંત થશે સાથે અંદરનો ક્રોધ પણ.
2)મંગળવારના દિવસે હનુમાન મંદિરે જઇ બજરંગબલીને તેલ અને સિંદૂર મેળવી અર્પણ કરવું જોઇએ અને તેનું તિલક કરવું જોઇેએ.
3) બુંદીના લાડુ જાતે બનાવી અને તેમા ચાર લવિંગ નાંખી હનુમાનના ચરણોમાં મંગળવારના દિવસે અર્પણ કરવા.
4) પાનના પત્તા પર કાથો લગાવી, મંગળવારના દિવસે હનુમાનજીને ચઢાવવું.
5) રોજ હનુમાન ચાલીસા અને બજરંગબાણનો પાઠ કરવો જોઇએ.
6) મંગળવારનું વ્રત કરવું અને ગોળ તથા ચણાનું દાન જરૂર કરવું જોઇએ.
7) જે ભક્ત પ્રત્યેક મંગળવારે વ્રત અને હનુમાનની વિશેષ પૂજા-આરાધના કરે છે તેના પર હનુમાનજીની કૃપા સદૈવ રહે છે.