ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં ઉમટી શ્રદ્ધાળુઓની ભારે ભીડ. ભાવિકો ડુંગર વાટે પહોચવા લાગ્યા મંદિરે. ઠેર-ઠેર દેવસ્થાનોમાં આ જ સ્થિતિ
પાવાગઢના ડુંગરે વાગે ત્રીજી લહેરના ડાકલા
પગથિયાં છોડી ડુંગર ચઢતી ભીડનાં દૃશ્યો
દ્વારકા-અંબાજીમાં પણ આ જ સ્થિતિ
પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિ વેળા ધાર્મિક સ્થાનકોમાં ભારે ભીડ ઉમટતી જોવા મળી રહી છે.પાવાગઢમાં આજે પણ લાખોની યાત્રામાં શ્રદ્ધાળુ ઓ ઉમટયા છે. ભાવિકો મંદિરની સીડી પરથી જવા કરતા ડુંગર પર ચઢીને મંદિર પહોચવા અધીરા બન્યા છે. માનો કે,પાવાગઢમાં જ્નમેદનીરૂપી કીડીયારું ઉભરાયું છે.આવી જ સ્થિતિ દ્વારકા -સોમનાથ અંબાજીમાં છે.
ગઢ-ગઢમાં ફેર છે.
શનિવારે જ જૂનાગઢ જીલ્લા કલેકટરે રવિ અને સોમવારે (સોમવતી અમાસ) પવિત્ર સ્નાન માટે દામોદર કૂંડ અને ભવનાથ મંદિર પર ભાવિકોની પાબંધી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બીજીતરફ,પાવાગઢ મંદિર પરની ભીડ જોઈ, ના તો પ્રસાશનને ચિંતા છે કે ના તો રાજ્ય સરકારને. ગત સપ્તાહે સાતમ-આઠમનાં તહેવારોમાં પવિત્ર યાત્રાધામ અને સ્ટેચ્યુ ઓફ યૂનીટીમાં એક લાખ કરતા વધુ ભાવિકો ઉમટયા હતા.અને પ્રસાશન સમાચાર માધ્યમો પર દૃશ્ય જોઈં માત્ર હરખાતું જ નહોતું પણ,આવકનો હિસાબ પણ માંડતું હતું.
સરકારની બે-ધારી નીતિ
એક તરફ રાજ્ય સરકાર ત્રીજી લહેરની તૈયારી કરે છે.સંભવત;ત્રીજી લહેર માટે આરોગ્ય વિભાગને સતર્ક કરાયો છે.અમદાવાદ મેડીકલ એસોશીએશન પણ ભારે ભીડના દૃશ્યો જોઈ સરકારને ચેતવી રહી છે કે સંયમ નહિ જળવાય તો ત્રીજી લહેરને કોઈ નહિ રોકી શકે. આમ છતાં, ઈશ્વર પ્રત્યેની આસ્થામાં અંધ ભાવિકો,ગુજરાતના ઠેર-ઠેરના દેવસ્થાનો પર ભીડ લગાવી રહ્યા છે. બીજી તરફ સરકાર પણ, બધી જ તૈયારીઓ ચાલે છે કરીને ,ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી ઉપરાંત શેરી ગરબા, અને અંબાજી પદયાત્રા માટે પોતાની કોર કમિટીમાં નિર્ણય લેનારી છે. અંબાજી તરફ તો અત્યારે જ ભાવિકો ઉમટી પડ્યા છે તેમાં ભાદરવી પૂનમે આવતા સંધને કેવી રીતે રોકી શકાશે તે મોટો પડકાર સરકાર સામે રહેશે. સરકાર પણ ભાવિકોની લાગણી પાસે નમતું જોખી શકે છે. અને આ જવાબદારી માત્ર નાગરિકોની જ રહેશે તેવું ફલિત થશે.
અંબાજી -દ્વારકામાં પણ ભીડ
શનિ-રવિમાં દ્વારકા અને અંબાજીમાં પણ માનવ મહેરામણ ઉમટ્યો છે.દ્વારકામાં સવારથી જ દ્વારકાધીશના મંદિર બહાર દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે.તો અંબાજી તરફ પણ પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઉમટયા છે.અંબાજી મંદિરમાં પણ ભાવિકોની લાંબી કતારો જોવા મળે છે.
ગુજરાતમાં એક તરફ પાણીજન્ય રોગચાળા સાથે ચીકનગુનીયા ડેન્ગ્યુંનો પ્રકોપ વધ્યો છે.વરસાદની અસમંજસ સ્થિતિ વચ્ચે ગર્મીનો પ્રકોપ પણ વધશે.આ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે અન્ય રોગચાળો ઘરમાં ના પેસી જાય તેની તકેદારી અત્યારથી જ આવશ્યક છે.