તણાવ / લદ્દાખ બોર્ડર પર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, એક ઇંચ પણ...

Home minister amit shah statement india china border conflict

છેલ્લા થોડા દિવસોથી લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે. ભારત અને ચીનની સેના આમને-સામને આવી ચૂકી છે. ચીન અનેક વખત ભારતીય બોર્ડરમાં દખલગીરી કરવાના પ્રયત્ન કરતું રહ્યું છે પરંતુ ભારતીય સેનાના જવાન તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્ર સરકાર ખુલીને આ મુદ્દા પર સામે નથી આવી રહી. જ્યારે સરકારને જનતાની સામે બતાવવું જોઈએ કે LAC પર શું થઇ રહ્યું છે. આ બધા વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે કડક શબ્દોમાં કહ્યું છે કે તેઓ આ મુદ્દાને હલ્કામાં નથી લઇ રહ્યા. તેમણે કહ્યું કે, તેઓ ભારતીય બોર્ડરના એક ઇંચ સાથે પણ ક્યારે સમજૂતી નહીં કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ