પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક મંદિર આવેલું છે. જેનું નામ છે હિંગળાજ માતા મંદિર (Hinglaj Mata Mandir).
પાકિસ્તાનમાં આવેલું છે આ મંદિર
હિંગળાજ માતા પર મુસ્લિમોને પણ છે આસ્થા
જાણો તેના પાછળનું કારણ
પાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી વધારે છે. પરંતુ ત્યાં એક મંદિર પણ આવેલું છે. અહીં આવેલા હિંગળાજ માતાના મંદિરમાં માતાની (Hinglaj Mata Mandir) પૂજા મુસલમાન પણ કરે છે. આજે અમે તમને પાકિસ્તાનમાં સ્થિત એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં ફક્ત હિન્દૂ જ નહીં પરંતુ મુસલમાન પણ જઈને પ્રાર્થના કરે છે.
પૌરાણિક કથાઓ છે ફેમસ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક મંદિર છે જેનું નામ છે હિંગલાજ માતાનું મંદિર. આ મંદિર પોતાની પૌરાણિક કથાઓના કારણે આખા પાકિસ્તાનમાં જાણીતું છે. મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે માતા સતીનું મસ્તક કાપવા માટે ચક્ર ચલાવ્યું હતું તો ચક્રથી કપાયેલુ મસ્તક આ જગ્યા પર પડ્યુ હતું. આ મંદિર બલુચિસ્તાનથી 120 કિમી દૂર હિંગુલ નદીના તટ પર સ્થિત છે.
ગજનીએ ઘણી વખત કરી હતી લૂંટ
આ મંદિર વિશે 1500 વર્ષ પહેલા ફરવા આવેલા ચીની બૌદ્ધ ભિક્ષુઓએ ઘણી વાતો લખી છે. આ મંદિર વિશે ચીની બૌદ્ધ ભિક્ષુઓએ જણાવ્યું કે મોહમ્મદ બિન કાસિમ તથા મોહમ્મદ ગજનીએ મંદિરને ઘણી વખત લુટ્યુ હતું. આ મંદિરમાં રોજ 'જય માતા દી'ના જયકારા લાગે છે. જયકારા લગાવતા લોકો હિન્દૂઓની સાથે મુસલમાનો પણ હોય છે. તેને હિંગળાજ ભવાની શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે. જે હિંગળાજ ક્ષેત્રમાં સ્થિત છે.
51 શક્તિપીઠોમાંથી એક
હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. કહેવામાં આવે છે કે માતાના 51 શક્તિપીઠમાંથી સૌથી મહત્વપૂર્ણ પીઠ અહીં આવીને પડ્યુ હતું. ધરતી પર માતાના પહેલા સ્થાનના રૂપમાં હિંગળાજ માતાના મંદિરને ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના ચક્રથી માતા સતીના અંગ કપાયા બાદ જે જે જગ્યાઓ પર પડ્યા હતા. તે જગ્યાઓને શક્તિપીઠ કહેવામાં આવે છે. આ શક્તિપીઠોની કુલ 51 છે.
આ કારણે મુસ્લિમ કરે છે પૂજા-અર્ચના
હિંગળાજ માતાના મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં હિન્દૂઓની સાથે મુસ્લિમ પણ પૂજા-અર્ચના કરવા આવે છે અને પોતાનુ મસ્તક અહીં જુકાવે છે. આ મંદિરને મુસ્લિમ 'નાની કા મંદિર'ના નામે ઓળખે છે. જણાવવામાં આવે છે કે મુસલમાનો કોઈ પ્રાચીન પરંપરાનું પાલન કરતા આ મંદિરમાં આસ્થા રાખે છે તથા દેવી માતાના દર્શન કરવા આવે છે. મુસલમાન સમાજના લોકો મંદિરને પોતાની તીર્થયાત્રાનો ભાગ માને છે. માટે તે તેને 'નાની કા હજ' કહે છે.