ઉત્તરાખંડમાં બારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે. જેમા કુમાઉંમાં તો 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. સમગ્ર મામલે હવામાન વિભાગે કર્યું કે કાલે પરિસ્થિતી સામાન્ય થઈ જશે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 23 લોકોના મોત
કાલ સાંજ સુધીમાં પરિસ્થિતી થશે સામાન્ય
રેસ્ક્યુ ઓપરેશન ઉત્તરાખંડમાં હજુ યથાવત
ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે હવામાન વિભાગનું કહેવું છે કરે આવતીકાલથી વરસાદની સ્થિતી સામાન્ય રહેશે. હવામાન વિભાગના કહેવા પ્રામણે વરસાદે કુમાઉ અંચલમાં સવાસો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે 23 લોકોના મોત થયા છે. જે પૈકી ખાલી કુમાઉમાં 17 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
નૈનીતાલમાં 17ના મોત
બીજી તરફ નૈનીતાલમાં 17 અને અલ્મોડામાં 4 લોકોના મોત થયા છે. ગત સોમવારે પૌડીમાં 3 અને ચંપાવતમાં 2 લોકોના અને પિથોરાગઢમાં 1 વ્યક્તિનું મોત થયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે કુમાઉ અંચલમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. અહીયા 5000 મિલીમીટર સુધી રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે.
સીએમ ધામીએ વડાપ્રધાન સાથે કરી વાત
અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં સીએમ ધામીએ 16 લોકોના મોતની પુષ્ટી કરી છે. રાજ્યમાં મકાનો અને પુલો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકશાન થયું છે. સીએમ ધામીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પણ પરિસ્થિતીને લઈને વાત કરી હતી.
सभी लोगों से अनुरोध है कि इस स्थिति में धैर्य बनाकर रखें। हम हर संभव मदद करने के लिए तैयार हैं। प्रधानमंत्री ने हर संभव मदद का आश्वासन दिया है। मौसम विभाग ने बताया है कि आज देर रात तक मौसम ठीक हो जाएगा, बाद में स्थिति सामान्य हो जाएगी: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी https://t.co/PdHrkJJPORpic.twitter.com/4f47VpgEQ3
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ધામી દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથેજ ત્રણ હેલીકોપ્ટર પણ તૈનાકત કરવામાં આવ્યા છે. જોકે ભારે વરસાદને કારણે ઉધમસિંહ નગરમાં આવેલ નાનક સાગર ડેમના પણ બધા દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. કારણે ભારે વરસાદથી પાણીનું વહેણ ઘણું વધી ગયું હતું.