વાયુ પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આ વાતને નવા અભ્યાસમાં સમર્થન મળ્યું છે, તેમાં દાવો કરાયો છે કે વાયુ પ્રદૂષણના કારણે આંતરડાંના બેક્ટેરિયા પર ભારે અસર પડી શકે છે. તેથી મેદસ્વિતા, ડાયાબિટીસ, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ વિકારની સાથે-સાથે અન્ય જૂની બીમારી થવાની પણ આશંકા રહે છે.
દૂષિત હવામાં શ્વાસ લેવાથી મેદસ્વિતા અને ડાયાબિટીસ વધે છે
પ્રદૂષણના કારણે જૂની બીમારી પણ ફરી થવાની શક્યતા રહે છે
અભ્યાસમાં થયો ખુલાસો
જર્નલ એન્વાયરમેન્ટલ ઇન્ટરનેશનલમાં પ્રકાશિત આ પહેલું સંશોધન છે, જેમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણના કારણે મનુષ્યનાં આંતરડાંને માઇક્રોબાયોમી સંરચના અને કામ કરવાની રીત બદલાઇ જાય છે. આપણા શરીરની અંદર રહેતા અબજો સૂક્ષ્મ જીવના સંગ્રહને માઇક્રોબાયોમ કહે છે. અમેરિકાની કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું કે વાહનોથી ઉત્સર્જિત થતા ગેસ જ્યારે સૂર્યના પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે અત્યંત ખતરનાક બને છે. તેને ગેસિયલ પોલ્યુશન ઓઝોન કહેવાય છે.
અભ્યાસમાં થયો ખુલાસો
અભ્યાસમાં જણાવાયું છે કે તે ઉચ્ચ સ્તરના સંપર્કમાં આવવાથી વયસ્કમાં માઇક્રોબિયલ ડાઈવર્સિટી ઘટે છે અને તેમને મેદસ્વિતાની સાથે-સાથે અન્ય બીમારી પણ થાય છે. એક અભ્યાસમાં જણાવાયું છે કે દુનિયાભરમાં વાયુ પ્રદૂષણના કારણે વાર્ષિક ૮૮ લાખ લોકોના જીવ જાય છે.
ધુમ્રપાનના કારણે વધુ લોકોના થયાં છે મોત
આ આંકડો ધૂમ્રપાનના કારણે મૃત્યુ પામનાર લોકો કરતાં પણ વધુ છે. છેલ્લા કેટલાય અભ્યાસમાં જાણવા મળ્યું છે વાયુ પ્રદૂષણ શ્વાસ સંબંધિત બીમારી માટે જવાબદાર છે, પરંતુ હવેના અભ્યાસમાં તેની અસર આપણાં આંતરડાં પર જોવા મળી છે. વાયુ પ્રદૂષણના કારણે આખા શરીરની કાર્યપ્રણાલી પ્રભાવિત થાય છે અને સમય પર યોગ્ય ઉપચાર ન થવાના કારણે જીવને પણ ખતરો રહે છે.