કેન્દ્ર અને રાજ્યો પાસે હાલમાં 1.8 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ
દેશમાં હવે કોરોનાના વળતા પાણી થયા છે. સરકારી કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ હાલમાં અંતિમ તબક્કામાં પહોંચ્યો છે અને તેથી હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વેક્સિન ન ખરીદવાનો નિર્ણય લીધો છે અને બાકી બચેલું વેક્સિન બજેટ 4,237 કરોડ નાણા મંત્રાલયને પાછું આપવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર અને રાજ્યો પાસે હાલમાં 1.8 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ
સત્તાવાર સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોમાં સરકારો પાસે હજી પણ 1.8 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને કોવિડ કેસના ભારણમાં ઘટાડો થવાને કારણે લોકોમાં રસીની ઓછી ગ્રહણશક્તિને જોતા, આ સ્ટોક લગભગ છ મહિના સુધી રસીકરણ અભિયાન ચાલુ રાખવા માટે પૂરતો છે.સરકારનો સ્ટોક ખતમ થઈ જાય તો પણ કોવિડની રસી બજારમાં ઉપલબ્ધ થશે.
Govt's Covid vaccination programme is in its final leg; Health Ministry decides not to procure more vaccines and surrenders Rs 4,237 crore from earmarked Covid vaccination budget to Finance Ministry: Official sources
કોરોનાની સ્થિતિને આધારે વધારે વેક્સિન ખરીદવી કે નહીં તેનો નિર્ણય
સૂત્રોએ કહ્યું કે સરકારી ચેનલ દ્વારા કોવિડ રસીના ડોઝ ખરીદવા કે છ મહિના પછી આ હેતુ માટે (નવી) બજેટ ફાળવણી મેળવવી કે નહીં તે અંગેનો કોઈ પણ નિર્ણય તે સમયે દેશમાં પ્રવર્તતી કોરોનાવાયરસની પરિસ્થિતિ પર આધારિત રહેશે."
ગયા વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ -19 રસી પ્રદાન કરીને તેમને ટેકો આપી રહી છે. કોવિડના કેસો ઓછા હોવાથી, લોકોમાં આત્મસંતુષ્ટિની ભાવના વધી છે અને સરકારે તમામ પુખ્ત વયના લોકોને વિના મૂલ્યે બૂસ્ટર ડોઝ આપવા માટે 75 દિવસની ઝુંબેશ - 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ' - હાથ ધરી હોવા છતાં રસીની બહુ માંગ થઈ નથી.