દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે શક્ય છે તમારી આસપાસની હવા પણ પ્રદૂષિત હોય. પ્રદૂષિત હવાના કારણે તમારી આંખો ખરાબ થઈ શકે છે અથવા તેમાં બળતરા પણ થઈ શકે છે. હાલમાં દિલ્હી એનસીઆરનો AQI 500ની આસપાસ છે. આ સમયે તમે તમારી હેલ્થને કઈ રીતે પ્રદૂષણથી બચાવી શકશો તે જાણવું જરૂરી છે. જો તમે આ 10 સરળ ઉપાયો કરશો તો તમને રાહત મળશે.
AQIની સ્વાસ્થ્ય પર વિપરિત અસર
ખરાબ એર ક્વોલિટીની સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધોને થાય છે. વાયુ પ્રદૂષણના કારણે દિલ્હી સરકારે દરેક શાળામાં 5 નવેમ્બર સુધીની રજા જાહેર કરી છે. અસ્થમાના દર્દીઓ માટે આબોહવા ઝેરી બની રહી છે. સ્મોગથી ઉધરસ, બ્રોન્કાઈટીસ, હાર્ટની તકલીફ, ત્વચા સંબંધી રોગો, વાળ ઉતરવા, નાક, કાન, ગળા અને ફેફસાંનું ઈન્ફેક્શન અને બ્લડ પ્રેશરની સાથે બ્રેન સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે.
આ રીતે રાખો સાવચેતી
ખરાબ હવા અનેક લોકોને બિમાર કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી કસરત કરો, ક્રિકેટ, હોકી, સાયકલિંગને ટાળો. જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 200થી વધુ પહોંચે ત્યારે પાર્કમાં દોડવા અને ચાલવા ન જાઓ.
300થી વધારેનું લેવલ પહોંચે ત્યારે બહાર જવાનું ટાળો.
400ની પાર પહોંચે તો ઘરની અંદર જ રહો. સામાન્ય વોક કરવા પણ ન જાઓ. ઘરમાં યોગા કરવાનું રાખો.
ઘરની અંદર AQIને યોગ્ય મેનેજ કરો. દરવાજા અને બારીઓને બંધ રાખો, ઘરમાં હવાને શુદ્ધ રાખનારા છોડ લગાવો. જેથી ચોખ્ખી હવા મળી રહે.
ફૂલ સ્લીવના કપડાં પહેરો અને ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો. અથવા તો ચહેરો પણ ઢાંકીને જ બહાર નીકળો.
ઈમ્યુનિટી સિસ્ટમને જાળવી રાખવા માટે આદુ અને તુલસીની ચા પીઓ. મધ, લસણ, આદુનો વધારે ઉપયોગ કરો. તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વઘશે અને તમે ઝડપથી બિમાર નહીં થાઓ.
ખોરાકમાં વિટામીન સી, ઓમેગા 3, હળદર, ગોળ, અખરોટને સામેલ કરો. જો તમને ઉધરસ અને શરદી થાય તો મધ અને આદુના રસનું સેવન કરો.
શક્ય હોય ત્યાં સુધી વધારે પાણી પીઓ. દિવસમાં 6 લીટર પાણી પીઓ. જેથી શ્વાસથી શરીરમાં પહોંચનારી હવાને રોકી શકાય.
ઘરની બહાર નીકળતા પાણી પીને નીકળો જેથી ઓક્સીજનનો સપ્લાય શરીરમાં જળવાઈ રહે. ઝેરી ગેસ લોહીમાં પહોંચે તો પણ શરીરને ઓછું નુકસાન થાય.