ડ્રાય ફ્રૂટ્સના નામથી તો તમામ લોકો વાકેફ છે. બદામ, કાજુ, કિશમિશ, અખરોટ જેવી ઘણા ડ્રાયફ્રૂટ્સ ખાતા હશો. પરંતુ અખરોટ એવુ ડ્રાય ફ્રૂટ છે જેને તમે યોગ્ય રીતે ખાશો તો આ બિમારીઓથી દૂર રહેશો.
જી હા, એક રિસર્ચ અનુસાર, એન્ટિઓક્સડિન્ટ્સથી ભરપૂર અખરોટ દરરોજ ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો રહેતો નથી. જ્યારે અખટો નહીં ખાનારા લોકોને આ ખતરો બમણો થઇ જાય છે.
રિસર્ચ અનુસાર, દરરોજ 3 સ્પૂન અખરોટ ખાવાથી ડાયાબિટીસ થવાની શક્યતા 47% ઘટી જાય છે. યૂનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાએ આ અંગે રિસર્ચ કર્યુ છે, જેમાં જણાવવામાં આવ્યુ છે કે, ડાયાબિટીસ અને અખરોટના સેવન વચ્ચે સંબંધ છે. અખરોટ પર થયેલી શોધ અનુસાર, અખરોટ ખાવાથી હૃદયથી લગતી બિમારીઓ થવાની શક્યતા ઓછી થઇ જાય છે.
આ રિસર્ચ 18-35 વર્ષના વયના લોકો પર કરવામાં આવ્યુ, તેમાં ડાયટમાં અખરોટનું પ્રમાણ વધારી દેવામાં આવ્યુ અને પછી તેમને ડાયાબિટીસ થવાની શક્યતા પર રિસર્ચ કરતા જાણવા મળ્યુ કે, જે લોકો દરરોજ અખટોરનું સેવન કરે છે, તેમનામાં ન ખાનારા લોકોની સરખામણીએ ડાયાબિટીસના લક્ષણ ઓછા જોવા મળ્યા હતા.
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, પોલિસેચ્યુરેટેડ ફેટ અને આલ્ફા લાઇનોલેનિક એસિડ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ સિવાય પ્રોટીન અને ફાયબરનો પણ સારો સ્તોત્ર ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે દરરોજ ઓછા ઓછું અડધો કપ અખરોટનું સેવન કરવાથી પેટ સંબંધિત તમામ બિમારીઓ દૂર થાય છે અને પાચનક્રિયા પણ સારી રહે છે.
અખરોટમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અખરોટમાંથી મળતા એન્ટી ઓક્સડિન્ટ તમને ભાગ્યે જ કોઇ બીજા ખોરાકમાંથી મળતા હશે. અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન હોય છે જે વાળની મજબૂતી વધારે છે. હેરફોલ ઘટાડે છે અને હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.
અખરોટમાં સારી માત્રામાં વિટામિન B હોવાથી તે સ્કિન માટે ખૂબ જ સારુ છે. વિટામિન B સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ્સમાં ખૂબ જ મદદરૂપ થાય છે. સ્ટ્રેસનું પ્રમાણ ઘટતા સ્કિન ચમક વધારે આવે છે, અખરોટમાં વિટામિન B અને E પૂરતા પ્રમાણમાં હોવાથી તે કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે એટલે જે એજિંગની પ્રક્રિયા ધીમી પાડવામાં સક્ષમ છે.
ગર્ભવતી મહિલાઓએ પણ અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે, તેનાથી બાળકોને એલર્જી નથી થતી અને પોષકતત્વો પણ મળે છે. અખરોટ ચિંતા અને તણાવથી દૂર રાખે છે, સાથે જ પુરુષોના સ્પર્મ કાઉન્ટ વધારે છે.
આ સિવાય યાદશક્તિ અને મગજની ક્રિયાઓને વધુ સતેજ બનાવવા માટે અખરોટ વધારે મદદરૂપ છે. ઓમેગા 3ની ખામીને કારણે વ્યકિત ડિપ્રેશનનો શિકાર બને છે અને તેની વિચાર શક્તિ ખોરવાય છે. અખરોટમાં ભરપૂરમાત્રામાં ઓમેગા 3 હોય છે અને તે મગજને સ્વાસ્થ્ય રાખવા માટે ફાયદારૂપ છે.
આ રીતે ખાવો અખરોટ:
સૌથી પહેલા ધીમી આંચે એક પેનમાં 15 ગ્રામ અખરોટને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો, પછી તેમાં થોડી ખાંડ અને કેસર નાખીને ફરીથી ઉકાળો. બસ તમારું અખરોટનું હેલ્ધી ડ્રિંક તૈયાર છે અને આ ડ્રિંક બને ત્યાં સુધી ગરમ હોય ત્યારે જ પીવુ.