મગની પીળી દાળ એટલે કે મોગર દાળ ખાવી મોટાભાગના લોકોને પસંદ હોય છે. દરેકના ઘરમાં દાળોની ઘણી વેરાયટી પણ બનતી હોય છે. મગની દાળ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેના સેવનથી એનિમિયા દૂર કરવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આયુર્વેદ ડોક્ટર મુજબ મગની દાળમાં સારી માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. તેમાં વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનની સાથે ડાયટરી ફાયબર પણ હોય છે. તો ચાલો જાણી લો તેના ફાયદા.
ગુણોથી ભરપૂર છે મગની દાળ
નાના મોટા સૌ માટે ખૂબ જ ફાયદાકારક
રોગોથી રાખે છે દૂર
મગની દાળ હળવી હોય છે
ઘણીવાર શરીરમાંથી પરસેવો નીકળી જવાને કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી થઈ જાય છે. મગની દાળનું પાણી પીવાથી શરીરમાં એનર્જી જળવાય છે. આ શરીર અને મગજ માટે પણ ફાયદાકારક હોય છે અને હળવી હોવાથી સરળતાથી પચી પણ જાય છે.
વજન ઘટાડે છે
જો તમે વજનને લઈને પરેશાન છો તો તમારી ડાયટમાં મગની દાળને સામેલ કરો. આમાં કેલરી ઓછી હોવાની સાથે આ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. સાથે જ તેને પીવાથી શરીર એનર્જેટિક રહે છે અને વજન ઘટાડવામાં મદદ પણ કરે છે.
બાળકો માટે પૌષ્ટિક
મગની દાળનું પાણી બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તે બાળકોને પચવામાં સરળ રહે છે. સાથે જ તેનાથી શિશુની ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત બને છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.
ડાયરિયામાં બેસ્ટ
નાના-મોટા કોઈને પણ ડાયરિયાનો પ્રોબ્લેમ થાય ત્યારે 1 વાટકી મગની દાળનું પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી સાથે જ મગની દાળનું પાણી પીવાથી ડાયરિયામાં પણ આરામ મળે છે.