આજકાલ ફિટનેસનને લઈને લોકો સભાન બન્યા છે અને કસરત અને ડાયટ પર ધ્યાન પણ આપવા લાગ્યા છે. પરંતુ ઘણાં લોકોને હજી પણ મનમાં એવો પ્રશ્ન થાય છે કે રોજેરોજ કસરત શા માટે કરવાની અને તેના શું ફાયદા છે. તો તમને જણાવી દઈએ કે, બેઠાડું જીવન અને ખરાબ જીવનશૈલીને કારણે મેદસ્વીપણું, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયરોગનો ભોગ બનતા હોય છે. જેથી આજે અમે તમને કસરત કરવાના જોરદાર ફાયદા જણાવીશું.
રોજ કરવી જોઈએ કસરત
રોગોથી બચાવે છે કસરત
શરીર અને મન બંનેને રાખે છે સ્વસ્થ
આખા શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. હૃદયની કાર્યક્ષમતામાં વધારો થાય છે. હૃદય મજબૂત બને છે.
કસરતને કારણે ઈન્સ્યૂલિનની જરૂરિયાત ઘટે છે. લોહીના ગ્લુકોઝ પર નિયંત્રણ આવી શકે છે અને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટે છે.
નિયમિત કસરત કરવાથી અકાળે થતાં મૃત્યુની શક્યતામાં ઘટાડો થાય છે.
રોજ કસરત કરવાથી સ્નાયુઓ ઉપરાંત હાડકાં અને સાંધાની મજબૂતી પણ વધે છે. ઉંમર વધવાની સાથે મસલ્સ નબળાં થવા લાગે છે. જો રેગ્યુલર કસરત કરવામાં આવે તો મસલ્સ સ્ટ્રોન્ગ બને છે.
રેગ્યુલર કસરત કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ સુધરે છે. જેનાથી કેલરી બર્ન કરવામાં અને ડાઈજેશન સુધારવામાં મદદ મળે છે. વજન પણ કંટ્રોલમાં રહે છે.
નિયમિત કસરત કરવાથી કેન્સર અને બીપી જેવા ઘાત ક રોગો દૂર રહે છે. સ્ટ્રેચિંગ કરવાથી ઘૂંટણ, સાંધાઓ, ગરદન અને પીઠના મસલ્સ ફ્લેક્સિબલ બને છે. રેગ્યુલર કસરત કરવાથી બોડી પેઈન દૂર થાય છે.
સવાર સવારમાં કસરત કરવાથી તમારા શરીરમાં એક પ્રકારની પોઝિટીવ ઉર્જા અને બોડીને એનર્જી મળે છે.
કસરત કરવાથી બોડીમાં ડોપામાઈન, એન્ડોર્ફિન અને સેરોટોનિન હોર્મોન્સ બને છે. જે મૂડ સારો રાખે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.
નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા (ડિપ્રેશન) માંથી મુક્ત થઈ શકે છે.
કસરત દરમ્યાન બ્લડ ફ્લો તેજ થઈ જાય છે અને કસરત બાદ સ્લો થઈ જાય છે. આનાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
કસરત કરવાથી બોડી ફંક્શન સુધરે છે. તેનાથી વધતી ઉંમરની સાથે થતી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને આપણે લાંબા સમય સુધી હેલ્ધી અને યંગ રહી શકીએ છીએ.
કસરત કરવાથી બ્રેન એક્ટિવ બને છે. જેનાથી આખો દિવસ એનર્જી મળે છે. રોજ 30 મિનિટ કસરત કરવાથી મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ ઈમ્પ્રૂવ થાય છે