અમદાવાદઃ બિનગુજરાતીઓને ખદેડવાનો મામલો હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું કે અલ્પેશ ઠાકોરે જવાબદાર તરીકે વર્તવાની જરૂર છે. અલ્પેશે પરિસ્થિતિને સમજવાની જરૂર છે. બિનગુજરાતને કારણે 40 ટકા ઉદ્યોગોને અસર થશે. બિનગુજરાતી લોકોની સલામતીની જવાબદારી સરકારની છે. ઠાકોર સેનામાં આંતરિક મતભેદ મુદ્દે પણ હાર્દિકે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઠાકોર સેના અને અલ્પેશ વચ્ચે મતભેદ હોઇ શકે છે.
મહત્વનું છે કે બિનગુજરાતીઓ પર થઈ રહેલા હુમલા અને અત્યાચારને લઈને હાર્દિક પટેલે રાજકીય પક્ષો પર પ્રહાર કર્યા હતા. સાથે જ પોલીસ પ્રસાશનની ઢીલી ઢપ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
બળાત્કારના આરોપીને ફાંસીની સજા કરોઃ હાર્દિક
હાર્દિક કહ્યું હતું કે બિન ગુજરાતી ગુજરાત માટે કેટલું મહત્વ ધરાવે છે. તે હાલ ઠપ થઈ ગયેલી ફેક્ટરી પરથી અંદાજ લગાવી શકાય છે. બાળકી પર બળાત્કારની ઘટના ખુબ શર્મનાક છે. તેના આરોપીને ફાંસીની સજા પણ થવી જોઈએ. પરંતુ એક પાપીની સજા અનેક નિર્દોષ લોકોને ન આપવી જોઈએ. રાજ્યમાં જે સ્થિતિ પેદા થઈ છે. તે માત્રને માત્ર રાજકીયરૂપ આપવા માટે છે. પરંતુ આ પ્રકારના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.
ભાજપ-કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરેઃ હાર્દિક
ગુજરાતની તમામ ફેક્ટરીઓમાં યુપી-બિહારના લોકો કામ કરે છે. આજે ગુજરાતની મોટા ભાગની ફેક્ટરીઓ બંધ થઇ છે. ફેક્ટરીઓ બંધ થતાં ઉત્તર-ભારતીય મહત્વ સમજાય છે. 14 માસની બાળકી સાથે દુષ્કર્મ જઘન્ય અપરાધ છે. અપરાધીને ફાંસીની સજા થવી જોઈએ. અપરાધીને કોઈ જાતી કે વર્ગ સાથે ન જોડી શકાય. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની એક્તાને તોડાવાનું કામ થઈ રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે.