છેલ્લા 20 દિવસમાં કુલ રકમના 45 ટકા દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ધૈર્યરાજની જીંદગી બચાવવા માટે ઓનલાઈનથી 2 લાખ 16 હજાર જેટલા લોકોએ પોતાનું ડોનેશન આપ્યું છે.
ધૈર્યરાજસિંહની મદદ માટે કુલ રકમના 45 ડોનેશન થયું પ્રાપ્ત
ધૈર્યરાજસિંહના ઈલાજમાં કુલ ખર્ચનું 55 ટકા ડોનેશન બાકી છે
ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થઈર હ્યું છે ડોનેશન
ધૈર્યરાજસિંહની મદદ માટે ઓનલાઈન ડોનેશનમાં પણ મોટી રકમ પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા 20 દિવસમાં કુલ રકમના 45 ટકા દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ધૈર્યરાજની જીંદગી બચાવવા માટે ઓનલાઈનથી 2 લાખ 16 હજાર જેટલા લોકોએ પોતાનું ડોનેશન આપ્યું છે. જો કે, ધૈર્યરાજ માટે હજુ પણ કુલ રકમનો મોટો હિસ્સો જોડવાનો બાકી છે. જેમાં આશરે 7 કરોડ 25 લાખ જેવી રકમ એકઠી કરવાની છે.
એક સામાન્ય પરિવાર માટે 16 કરોડનું ઈન્જેક્શન કેવી રીતે શક્ય બને
4 મહિનાના ધૈર્યરાજને મદદની જરૂર છે. આ વાતની જાણ ગામડા-ગામ સુધી પહોંચી ગઈ છે. SMA-1 નામની બીમારી લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે. તો સામાન્ય પરિવારના કોઈ બાળકની આ બીમારી દૂર કરવા માટે 16 કરોડ જેવી મોટી રકમ લાવવી એ અકલ્પનિય છે. જેના માટે સહિયારો સાથ હોવો જરૂરી છે.
ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થઈર હ્યું છે ડોનેશન
જો કે, ઈન્ટરનેટ અને ઓનલાઈન બેન્કિંગની સુવિધાના સમયમાં જો લોકો સુધી સાચી માહિતી પહોંચે તો..અકલ્પનિય ઘટના પણ સાચી પડતી હોય છે. આવું જ કંઈક...ધૈર્યરાજસિંહના કિસ્સામાં થયું છે. લોકો ઓનલાઈન પેમેન્ટની મદદથી 10રૂપિયાથી હજારો રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે.
ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237
IFSC CODE : YESB0CMSNOC
NAME : DHAIRYARAJSINH RATHOD
તમે પણ યથાશક્તિ પ્રમાણે મદદ કરી શકો છો
તમે પણ આ બાળકની મદદ માટે તમારી યથાશક્તિ પ્રમાણે દાન આપી શકો છો. જો કે, દેશ વિદેશમાં પણ લોકોને જેમ જેમ ખબર પડી રહી છે. તેમ લોકો ત્યાંથી પણ ઓનલાઈન પેમેન્ટ આપી રહ્યા છે. આ સાથે ગુજરાતના તમામ ક્ષેત્રે આગળ કલાકારો અને અભિનેતાઓ સહિત રાજનેતાઓ પોતાના તરફથી લોકોને અપીલ કરી રહ્યા છે.
ધૈર્યરાજસિંહ એક ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. તેને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.
એક તરફ ધૈર્યરાજનો પરિવાર 16 કરોડના ઇન્જેક્શન માટે મદદ માગી રહ્યો છે. ત્યારે ધૈર્યરાજના પરિવારજનો મદદ માટે VTV દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલથી પ્રેરાઇને થલતેજમાં વસતા પટેલ પરિવારે ધૈર્યરાજના જીવન માટે દાન કર્યુ છે. કેમ કે થલતેજમાં વસતા સુનિલ પટેલના 24 વર્ષના એકના એક પુત્ર નિશીતનું તાજેતરમાં અવસાન થયું છે.
ધૈર્યરાજ માટે દાનની સરવાણી ફૂટી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રસ્તા પર ઉતરી ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ દાનમાં પોતાની સોનાની વીંટી આપી પોતાની ઉદારતા દાખવી હતી. આ સાથે આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું નામ અને ગાડી નંબર પણ આપવાની મનાઇ કરી હતી. આ અંગે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી.