રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ નોંધાયો. જેમાં સૌરાષ્ટ્રઅને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક અને બાગાયતી પાકને ભારે નુકસાની
માવઠાએ ખેતી અને ખેડૂતની કમર ભાંગી નાખી
ચોમાસું કસમયનું,વરસાદ ઓછો અને વાવાઝોડું
અધૂરામાં પૂરું,શિયાળના વરસાદે પાકની સીઝન બગાડી
કમોસમી વરસાદ ગુજરાતના લોકો માટે મુસિબત બનીને વરસ્ય છે અને તેમાં પણ દરિયામાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે દરિયાઈ વિસ્તારના ખેડૂતોની સાથે-સાથે માછીમારોને મોટુ નુકસાન પહોંચ્યું છે.એક તરફ લો-પ્રેશરના કારણે અનેક બોટ દરિયામાં જળસમાધી લઈ ચૂકી છે. અને અનેક માછીમારો લાપતા છે. જ્યારે બીજી તરફ શિયાળું પાકને મોટું નુકસાન થયું છે
રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં વરસાદ
સૌથી પહેલા પાક નુકસાનીની વાત કરીએ તો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની ખુબ મોટી અસર જોવા મળી છે. એક તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા જવાદ વાવાઝોડાની અસર તો બીજી તરફ અરબી સમુદ્રમાં લો-પ્રેશરની અસરના કારણે ગુજરાતમાં બે દિવસ સતત કમોસમી વરસાદ ભર્યું વાતાવરણ રહ્યું. રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ નોંધાયો. જેમાં સૌરાષ્ટ્રઅને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક અને બાગાયતી પાકને ભારે નુકસાની પહોંચી છે.. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં પવન સાથે વરસાદ પડતા સમગ્ર પંથકમાં બાગાયતી પાકાોને ખુબ મોટું નુકસાન પહોંચ્યું છે. કોળનો પાક તો જાણે જમીનદોસ્ત થઈ ગયો છે. કેળના ઝાડ અને પપૈયાના પાકને પણ ખુબ મોટું નુકસાન થયું છે. તો સાબરકાંઠાના વિજયનગરમાં પપૈયાનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે. મોટા ભાગના પપૈયાના ઝાડ જમીનદોસ્ત થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આવી રીતે શાકભાજીના પાકને પણ ખુબ મોટી નુકસાની થઈ છે. જેની અસર બજારમાં સસ્તા મળતા શાકભાજી રૂપે જોઈ શકાય છે..
જગતાત માટે આફતનું વર્ષ
ખેડૂતો પર તો આફતના પૂર આવ્યા પરંતુ તેની સાથે-સાથે આ વખતે દરિયાઈ ખેડૂતો પર પણ લો-પ્રેશર આફત બનીને વરસ્યું. તૌકતે વાવાઝોડા બાદ ફરી એક વખત ઉનાના નવાબંદરના માછીમારો પર સતત બીજી વખત આફત વરસી છે. ગુરુવારની રાત્રે લો-પ્રેશરના કારણે દરિયો તોફાની બન્યો હતો ભારે પવન અને દરિયામાં કરન્ટ હોવાના કારણે ઉંચા મોજા ઉછળ્યા હતા.. જેના કારણે એક સાથે 10 બોટ દરિયામાં જ ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. અને આ બોટોમાં સવાર 12 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા જોકો 4 માછીમારોને તો અન્ય માછીમારોએ બચાવી લીધા હતા. પરંતુ 8 માછીમારો લાપતા થયા હતા. જેમાં 2ના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્યની હેલીકોપ્ટરની મદદથી શોધખોળ ચાલી રહી છે.
સતત બે વર્ષનો પડ્યો માર
એવું કહી શકાય કે, 2020 અને 2021નું વર્ષ ગુજરાતના લોકો માટે મહાઆફતો ભર્યું રહ્યું છે. કારણ , 2020થી ગુજરાત કોરોનાકાળ સામનો કરી રહ્યું છે. જ્યારે 2021મા વરસાદી આફતે ગુજરાતના લોકોને રડાવ્યા. તે પછી તૌકતે વાવાઝોડું હોય. ચોમાસાના અંતમાં આવેલી વરસાદી તારાજી હોય કે પછી કમોસમી વરસાદની આફત હોય. એવું કહી શકાય કે, આ વર્ષ નુકસાની ભર્યું વર્ષ રહ્યું છે.