ગુજરાત પોલીસે નદી ઉપર દોરડા બાંધીને ઝઘડિયા તાલુકાના 30 લોકોને ઉગાર્યા. રેસ્ક્યુ કરનાર પોલીસ જવાનોનો સીએમ રુપાણીએ આભાર માન્યો હતો.
ગુજરાતમાં ભાદરવો ભરપૂર બેઠો છે ત્યારે કટલીક જગ્યાએ મેઘાની મહેર કહેર થઈને ત્રાટકી છે. ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં નર્મદા નથીમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ આવતા જૂના જરસાડા ગામમાં 30 લોકો ફસાઈ ગયા હતા જેમને પોલીસે મદદ કરીને ઉગારી લીધા હતા.
30 લોકો ફસાયા હતા
ઝઘડિયાના જરસાડા પૂરમાં ફસાયેલા 30 લોકો માટે ગુજરાત પોલીસ તારણહાર બનીને આવી હતી. પોલીસે આવીને તેમને ઉગારી લીધા હતા. 30 લોકોમાં બાળકો અને મહિલાઓ તેમજ વૃદ્ધો હતા જેમને રાજપારડી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોએ ઉગારી લીધા હતા.
પોલીસ જવાનના સાહસને સીએમ રૂપાણીએ વખાણ્યું
તેમના આ સાહસને ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ વખાણ્યુ હતુ. આ અંગે ખુદ મુખ્યમંત્રીએ પોલીસ જવાન અને પોલીસ સ્ટેશન ઉપર ફરજ બજાવનાર પીએસઆઈ જયજદિપસિંહ જાદવ સાથે ટેલિફોનીક વાત કરી હતી.
ભરૂચ જિલ્લાના જરસાડ ગામમાં 30થી વધુ લોકો જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરનાર રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્રી જયદિપસિંહ જાદવ સાથે ટેલિફોનિક વાત કરી અભિનંદન પાઠવ્યા હતા. @GujaratPolicepic.twitter.com/dOUhDGe6K7
કેવી રીતે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન
ફસાયેલા લોકોને સામેકાંઠેથી સુરક્ષીત સ્થળે લઈ જવા માટે પોલીસ જવાનોએ નદી ઉપર દોરડા બાંધીને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતુ. 30 ગ્રામ્યજનોને સલામત જગ્યાએ ખસેડ્યા હતા. જરસાડાના તમામ લોકોએ અને ફસાયેલા ગ્રામ્યજનોના પરિવારજનોએ પણ પોલીસનો લાખ લાખ આભાર માન્યો હતો.