અમદાવાદ 24 કેસ સાથે રાજ્યમાં ઓમિક્રોન કેસમાં પ્રથમ તો વડોદરા 18 કેસ સાથે બીજા નબરે,આજે નવા 24 કેસ ઉમેરાતા કુલ આંકડો 73 પર પહોંચ્યો,
રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ નોંધાયા
અમદાવાદમાં 13 કેસ, અમરેલીમાં ઓમિક્રોનનો એક કેસ
આણંદ અને ભરૂચમાં એક-એક ઓમિક્રોનનો કેસ
ગુજરાતમાં ઓમિક્રોનને વધુ મોટી છલાંગ લગાવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ સામે આવતા કુલ આંકડો 73 કેસ પર પહોંચી ગયો છે. જો જિલ્લા વાઈઝ ઓમિક્રોન કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 13 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, રાજકોટમાં 3 તો વડોદરા, અમરેલી, આણંદ અને ભરૂચમાં એક-એક ઓમિક્રોનનો કેસ બહાર આવ્યો છે. સારી વાત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટને માત આપીને 17 દર્દીએ આજે ડિસ્ચાર્જ લીધું છે. પણ ખતરા રૂપ માહિતી એ છે કે અમદાવાદ અને રાજકોટ મળીને ઓમિક્રોન ગ્રસ્ત કુલ 6 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું છે.
શું છે ઓમિક્રોનના લક્ષણો?
દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચૂકી છે...ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે નિષ્ણાત ડોકટરોનું માનવું છે કે ઓમિક્રોનના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. જેથી ઓક્સિજન-વેન્ટિલેટરની જરૂર પડતી નથી. નવો ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના જેવો છે. ઓમિક્રોનથી ડરવાની નહીં સાવચેત રહેવાની જરૂર છે. ઓમિક્રોનમાં મોટેભાગે દર્દીઓને સામાન્ય લક્ષણો જોવા મળે છે. સારવાર ચાલી રહી હોય તેવા દર્દીમાં પણ સામાન્ય લક્ષણો છે. દર્દીમાં ખાસ કોઇ તકલીફ જોવા મળી નથી.દર્દીને શરીરનો દુ:ખાવો, તાવ, માથુ દુ:ખવું જેવી તકલીફ જોવા મળે છે. લોકોને ફરીથી કોરોના નિયમનું પાલન કડક કરવા તેમજ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવા ડોકટરો અને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કોરોનાના આજે 204 કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે કોરાનાના વધુ 204 કેસ પોઝિટિવ મળ્યા છે. કોરોનાને માત આપીને 65 દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1086 સુધી પહોંચી ગઈ છે. કોરોનાગ્રસ્ત 14 દર્દી વેન્ટિલેટર તો આજે કોરોનાને કારણે જામનગરના એક દર્દીનું મૃત્યુ પણ નીપજ્યું છે. અમદાવાદમાં આજે સૌથી વધુ 100 કેસ નોંધાતા ફરી બીજી લહેર વાળી થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. રાજકોટમાં 36 કેસ, સુરતમાં 23 કેસ, વડોદરામાં 17 કેસ
ગાંધીનગરમાં 5 કેસ, ખેડામાં 4 કેસ, મહીસાગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ તો સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગરમાં એક- એક કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.