વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત છે. વિશ્વભરમાં કોરોનાના કુલ 11 લાખ 34 હજાર 421 કેસ નોંધાયા છે. જેમાંથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 60 હજાર 427 થઈ છે. જ્યારે દેશમાં 2906 કેસ નોંધાયા છે જેમાંથી 77 લોકોના મોત થયા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના ધીરે ધીરે જોર પકડ રહ્યું છે. ગુજરાતમાં આજ સુધીમાં કુલ 108 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
કોરોના વાયરસના શનિવારે કુલ 3 કેસ નોંધાયા
અમદાવાદમાં 2 અને સુરતમાં 1 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કુલ 108 કેસઃ જયંતિ રવિ
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિએ કોરોના વાયરસ અંગે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 108 પર પહોંચી છે. આજે દિવસ દરમિયાન કોઇ મોત થયું નથી. આજના દિવસ દરમિયાન કુલ 3 કોરોનાના કેસ નોંધાયા છે. લોકલ ટ્રાન્સમિશનના કારણે આ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અમદાવાદના 25 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો અને બીજો પણ અમદાવાદના 46 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે સુરતના 61 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બીજી તરફ એક 80 વર્ષના મહિલા સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 84 લોકોની તબિયત હાલ સ્થિર છે. ત્યારે જાણો ક્યાં કેટલાક કોરોનાના પોઝિટિવ કેસ...