રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 6 ફેબ્રુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
24 કલાકમાં 252 નવા કેસ સાથે 401 દર્દીઓ થયાં સાજા
કોરોનાથી સાજા થવાનો દર 97.38 ટકા
5 લાખથી વધુ લોકોને અપાઇ ચૂકી છે રસી
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 252 નવા કેસ સામે આવ્યા છે. આજે 401 દર્દીઓ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,56,315 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં તો હાલ 2491 એક્ટિવ કેસ છે. હાલ 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાથી સાજા થવાનો દર 97.38 ટકા
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.38 ટકા થયો છે. આજે મહિસાગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4394 છે. અમદાવાદ શહેરમાં આજે 41 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. જો કે, એક બાબત ચોંકાવનારી છે કે, ગત 24 કલાક દરમિયાન વડોદરા જિલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
5 લાખથી વધુ લોકોને અપાઇ ચૂકી છે રસી
ગત 24 કલાકમાં 51,362 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 5,41,554 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 44 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ, સુરત શહેરમાં 27, સુરત ગ્રામ્યમાં વધુ 4 કેસ, વડોદરા શહેરમાં 71, ગ્રામ્યમાં વધુ 10 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 29 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 10 કેસ નોંધાયા છે. તો જામનગર, નવસારી, પંચમહાલ, તાપીમાં ગત 24 કલાકમાં એકપણ કેસ નથી નોંધાયો.