ભારતમાં કોરોના વાયરસના કેસ 75 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 14 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,091 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,436 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.
24 કલાકમાં 1,091 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા
કુલ આંકડો 1,59,726 પર પહોંચ્યો
આજે 1,233 દર્દીઓ સાજા થયા અને 9 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,141 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,091 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,59,726 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.68 ટકા થયો છે.
આજે 1,233 દર્દીઓ થયાં સાજા
આજે 1,233 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,41,652 પર પહોંચ્યો છે. આજે 9 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,638 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,436 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 53,74,249 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ 4 જિલ્લામાં કુલ 9 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 6 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 239, અમદાવાદમાં 183, રાજકોટમાં 107, વડોદરામાં 119 અને જામનગરમાં 84 કોરોનાના કેસ નોંધાયા છે.
મહાનગરો બાદ આ જિલ્લામાં સૌથી વધુ દર્દીઓ થયા સાજા
મહાનગરો બાદ મહેસાણામાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. સુરતમાં 270, અમદાવાદમાં 183, વડોદરામાં 78, જામનગરમાં 77 અને મહેસાણામાં 167 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની જિલ્લાવાર વિગત