આખા દેશમાં કોવિડ 19ના 19% રિકવરી રેટ સામે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ ચિંતાજનક રીતે ઓછો છે. 7% રિકવરી રેટ સાથે ગુજરાતનો મૃત્યુ દર એટલે કે ડેથ રેટ દેશમાં ઘણો વધારે છે. જો કે સરકારના મતે આ પાછળનું કારણ છે કે રાજ્યમાં કોરોનાના કેસ મોડા શરુ થયા છે એટલે કેસમાંથી રિકવર થતા દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધશે.
અલગ અલગ રાજ્યોમાં કેટલા ટકા રિકવરી રેટ છે?.
કેરળ
75%
તમિલનાડુ
39%
તેલંગાણા
20%
ભારતની સરેરાશ
19%
આંધ્રપ્રદેશ
14%
રાજસ્થાન
12%
ઉત્તરપ્રદેશ
11%
મધ્યપ્રદેશ
9.30%
ગુજરાત
7%
દેશમાં અત્યારે 20000થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ છે. જો કે ધીમે ધીમે દેશમાં રિકવરી રેટ ઝડપી થઇ રહ્યો છે અર્થાત દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે. જો કે તેની સામે ગુજરાત રાજ્યમાં ચિત્ર નિરાશાજનક લાગી રહ્યું છે. અહીં કોરોનાના કેસ અને મોતના આંકડા ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
અત્યારે દેશમાં 20000 થી વધુ પોઝિટિવ કેસ સામે 3900 થી વધુ લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આમ કુલ કેસના 19% લોકો રિકવર થઇ ગયા છે. જો કે ગુજરાતના 2407 પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી 179 લોકો એટલે કે ફક્ત 7% લોકોને રિકવર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય પ્રમાણે સરખામણી કરીએ તો કેરળમાં સૌથી વધુ 75% દર્દીઓ રિકવર થઇ ગયા છે. 427 કેસમાંથી 307 લોકોને કોરોના મટી ગયો છે અને 3 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ જ્યાં દેશના સૌથી વધુ કેસ છે ત્યાં 5200થી વધારે કેસ છે જયારે 700થી વધુ દર્દીઓ રિકવર થઇ ગયા છે આમ રિકવરી રેટ 13% જેટલો છે.
ગોવામાં વિક્રમજનક રીતે ફક્ત 7 કેસ હતા જેમાંથી બધા જ રિકવર થઈ જતા 100% રિકવરી રેટ સામે આવ્યો છે. ચિંતાજનક વાત એ છે કે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આ વાયરસના કહેર સામે ગુજરાતનો રિકવરી રેટ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા ઓછો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, તેલંગણા જેવા રાજ્યોમાં અનુક્રમે 12%, 9.3%, 11%, 14%, 39% અને 20% જેટલો રિકવરી રેટ છે.
આ પરિસ્થિતિ માટે આ 3 મહાનગરો જવાબદાર
રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા અને સુરત આખા રાજ્યના અધધ 88% કોરોનાના કેસ ધરાવે છે.
જો ગુજરાતનો રિકવરી રેટ દેશ જેટલો થઇ જાય તો...
જો ગુજરાતનો રિકવરી રેટ દેશ જેટલો થઇ જાય તો ઘણા બધા દર્દીઓ હોસ્પિટલથી ઘરે જઈ શકે. જો આમ થાય તો અત્યારે હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફ ઉપર છે ભારણ આવી ગયું છે તે ઓછું થાય. આ મુદ્દે જયંતી રવિ આરોગ્ય સચિવે કહ્યું છે કે રાજ્યમાં પહેલો કેસ 19મી માર્ચે નોંધાયો હતો. આ રોગથી મુક્ત થતા ઓછામાં ઓછા 12 દિવસ થાય છે. જેમ જેમ સમય વીતતો જશે એમ એમ રિકવર થતા દર્દીઓની સંખ્યા પણ વેગ પકડશે.
ગુજરાતનો મૃત્યુદર પણ ઊંચો
જો કે ગુજરાતનો મૃત્યુદર પણ ઊંચો છે. 103 મોત સાથે રાજ્યનો મૃત્યુદર 4.2% છે જયારે દેશનો મૃત્યુદર 3.2% છે. દેશમાં કેરળ, તામિલનાડુ, રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યોનો મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે જયારે ગોવા, છત્તીસગઢ, લડાખ, મણિપુર, ઉત્તરાખંડ, ત્રિપુરા, મિઝોરમ જેવા રાજ્યોમાં એક પણ મોત નોંધાઈ નથી.
રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યા સારી પણ હજુ વધુ ટેસ્ટિંગની આવશ્યતા
રાજ્યોમાં દર 10 લાખ વ્યક્તિએ કેટલા ટેસ્ટ
ભારત 334
ગુજરાત 605
દિલ્લી - 1299
આંધ્રપ્રદેશ - 830
રાજસ્થાન - 809
તમિલનાડુ - 781
મહારાષ્ટ્ર - 665
ગુજરાત - 604
છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં રોજ થનારા કુલ કોરોના ટેસ્ટ