વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે
તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા, તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના
દિલ્લીથી જે સૂચના મળશે તેનુ ચૂસ્તપણે પાલન કરાશે
ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ તરફ બેઠક બાદ હવે આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલનુ નિવેદન સામે આવ્યું છે. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
કોરોનાની વધતી ચિંતાને લઈને ગાંધીનગરમાં મળી બેઠક
કોરોનાની વધતી ચિંતાને લઈને આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ,વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી.
શું કહ્યું આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ ?
આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે આજે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે. આ સાથે દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા. કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા અને તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના અપાઈ છે. આ સાથે દિલ્લીથી જે સૂચના મળશે તેનુ ચૂસ્તપણે પાલન કરાશે તેવું જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, ચીન, બ્રાઝિલ, જાપાનમાં કોરોનાના કેસ વધ્યા હોઇ રાજ્ય અને કેન્દ્રના આરોગ્ય વિભાગે બેઠક કરી છે. જોકે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. રાજ્યમાં દરરોજ 7થી 8 હજાર લોકોનો ટેસ્ટ થાય છે, આ સાથે અત્યારે સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હોવાનું પણ ઉમેર્યું હતું. આ સાથે મહિના દરમિયાન ગુજરાતમાં 40થી 50 કેસ નોંધવાની વચ્ચે હાલ રાજ્યમાં 20 કેસ એક્ટિવ અને દરેક દર્દી ઘરે સારવાર લઇ રહ્યા હોવાનું પણ કહ્યું હતું.
મનોજ અગ્રવાલે કહ્યું કે, ભવિષ્ય માટે રાજ્ય સરકારે તૈયારી કરી છે, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, સ્ટાફ અને વેક્સિનેશનની તૈયારી શરૂ કરી દેવાઈ છે. આ સાથે જીલ્લા, કોર્પોરેશન અને તમામ અધિકારીઓ તૈયારીમાં સંકળાયેલા છે. દિલ્લીથી મળતી સૂચનાનો અમલ કરવામાં આવશે. વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના આપી છે.