ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સચિન પાયલટને જવાબદારી મળી શકે છે. આ મામલે આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
સચિન પાયલટને મળી શકે છે ગુજરાતની કમાન
ગુજરાત કોંગ્રેસના બની શકે છે પ્રભારી
અગામી સપ્તાહમાં થશે સત્તાવાર જાહેરાત
ઉલ્લેખીય છે કે, સચિન પાયલટ રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે. રાજસ્થાનમાં કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદનો ટૂંક સમયમાં સમાધાન થઈ શકે છે. ચર્ચા છે કે સચિન પાયલટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે.
રાજીવ સાતવના નિધન બાદ કોંગ્રેસનું પ્રભારી પદ પડ્યું છે ખાલી
આ યાદીમાં કોને કોને સામેલ કરવા તે અંગેનો નિર્ણય અશોક ગેહલોતે સોનિયા ગાંધી પર છોડ્યો છે. એટલે પોતાના જૂથના ધારાસભ્યો મંત્રી બન્યા બાદ સચિન પાયલટ ગુજરાતની કમાન સાંભળી શકે છે. રાજીવ સાતવના નિધન બાદ મહિનાઓથી ગુજરાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી પડ્યું છે.
કોંગ્રેસ હાઇકમાન્ડની નજર રાજસ્થાન પર
કોંગ્રેસના સૂત્રોના કહ્યા મુજબ પંજાબના વિવાદ બાદ હવે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનું સંપૂર્ણ ધ્યાન રાજસ્થાન પર છે અને માકનને કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં આંતરિક વિવાદનું સમાધાન જુલાઇ મહિનામાં જ આવી જવું જોઈએ.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી માટે બે મોટા નામ ચર્ચામાં
રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસ પ્રભારી માટે સમીક્ષા કરી છે. અને નવા પ્રભારી તરીકે સચિન પાયલટ અને બી.કે. હરિપ્રસાદનું નામ ચર્ચામાં છે. ત્યારે કોંગ્રેસની પ્રથમ પસંદગી બી.કે.હરિપ્રસાદ હોઈ શકે છે. કારણ કે બી.કે.હરિપ્રસાદ ભૂતકાળમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે. 2007થી 2010ના સમયગાળામાં બી.કે હરિપ્રસાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતી. જ્યારે જ્યારે સચિન પાયલટ રાજ્સ્થાનના અનુભવિ નેતા છે. અને સચિન પાયલટને રાહુલ ગાંધીના નજીકના મનાવામાં આવે છે. કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારીનું પદ ખાલી છે. જેને લઇ રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસ પ્રભારી માટે સમીક્ષા કરી છે.