કોંગ્રેસે સરકાર પ્રહાર કરતાં કહ્યું કે સંઘના માણસોને પાછળા બારણે ઘુસાડવાનો પ્રયત્નો છે, ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપ એક સાથે ચાલે છે
72 કલાક બાદ સરકારે સ્વીકારી લીધુ કે પેપર ફુટ્યું - કોંગ્રેસ
પાછળા બારણે જેને નથી લઇ શકતા એમને પેપર ફોડી લેવામાં આવે છે- કોંગ્રેસ
ગુજરાતમાં 9થી વધુ પરીક્ષાઓમાં કૌભાંડ થયા - કોંગ્રેસ
હેડ કલાર્ક પેપર લીક કાંડને લઈને ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે રાજ્ય સરકારે 72 કલાક બાદ સ્વિકાર્યું છે કે પેપર ફૂટ્યું છે. સરકાર જેમને પાછલા બારણે નથી લઈ શક્તા તેમને પેપર ફોડીને લેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ભરતી,ભ્રષ્ટાચાર અને ભાજપ સાથે ચાલે છે. ગઈકાલે અસિત વોરાને લઈને જીતુ વાઘાણીએ ક્લિન ચીટ આપી હતી. તે ક્યા આધારે આપી હતી તેનો ખુલાસો કરે. પેપક લીક થયું છતા સરકારે પરિક્ષા રદ કરવાની હજુ સુધી જાહેરાત કરી નથી.પરિક્ષાને તાત્કાલીક અસરથી રદ કરીને નવેસરથી તેની તારીખ બહાર પાડવી જોઈએ. ભાજપ મતના રાજકારણ માટે ચૂંટણીના છેલ્લા વર્ષોમાં ભરતીઓ બહાર પાડે છે. અસિત વોરા રાજીનામુ આપે અથવા સરકાર બરખાસ્ત કરે તેવી માંગ હવે યુવરાજસિંહ બાદ કોંગ્રેસે પણ કરી છે.
સચિવાલય સુધી પહોંચશે પેપર લીકના તાર: સૂત્ર
હેડ ક્લાર્કની પરીક્ષાનો પેપર લીકનો મામલે VTV પાસે મહત્વના સમાચાર આવી રહ્યા છે, ખાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેપરલીકના તાર સચિવાલય સુધી પહોંચી શકે છે, હાલ જયેશ પટેલ પોલીસ પકડથી દૂર છે. પણ મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ બાદ કોઈ અધિકારી તેમજ નેતાની સમગ્ર કેસમાં સંડોવણી હોય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે બોલાવી તાબડતોબ બેઠક
હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીકનો મામલો સામે આવતાની સાથે સરકાર પણ એક્શનમાં દેખાઇ રહી છે. રાજ્ય સરકારની પરીક્ષાના નિર્ણયને લઇને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ શકે છે. બેઠકમાં મુખ્યમંત્રીને પેપરલીક સંબંધિત તમામ માહિતી આપવામાં આવશે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી, અસિત વોરા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. પેપર લીક થયાનો વ્યાપ અને તપાસ સંદર્ભે ચર્ચા થશે. પરીક્ષા રદ્દ કરવા મામલે પણ આ બેઠકમાં નિર્ણય લેવાશે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, પરીક્ષામાં પેપર લીક થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ એકબાદ એક બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પેપરકાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓ ઝડપાયા છે જ્યારે બાકીના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે.
યુવરાજસિંહે અસિત વોરાને હટાવવા કરી માંગ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પગલાં લેવાની બાંહેધરી આપ્યા બાદ યુવરાજસિંહે આ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે સરકારે પેપર ફુટ્યાનુ સ્વિકાર્યુ છે. પરંતુ સરકારે જે કલમ લગાવી છે તે હળવી કલમ છે. પેપર હિંમતનગરથી પેપર લીક થયુ હતુ. આ પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહે કહ્યું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને હટાવો. તેમણે કહ્યું હતું કે અમે ગૃહરાજ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.