ભારતીય રેલવેના 167 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું જ્યારે રેલવેમાં ટિકિટની તપાસ કરનાર કર્મચારી પોતાના પરંપરિક કાળા કોટ અને ટાઈ નહીં પહેરે. 1 જૂનથી શરૂ થનાર 100 રૂટની ટ્રેનોમાં સવાર ટિકિટ તપાસ કરનાર અધિકારી માટે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રેલવેએ ગાઇડલાઇન જાહેર કરી છે.
1 જૂનથી શરૂ થશે 100 રૂટની ટ્રેનો
ટીટીઈ કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ
રેલવેમાં હવે TTEને કોટ-ટાઈ ફરજિયાત નહીં
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર ટીટીઈ કર્મચારીને માસ્ક, શિલ્ડ અને હેન્ડ ગ્લવઝ, હેડ કવર આપવામાં આવશે. રેલવે તરફથી જાહેર કરવામાં આવેલ દિશા નિર્દેશો અનુસાર, કોરોના સંક્રમણને રોકવા અથવા તેના ખતરાને ઓછો કરવાને ધ્યાનમાં રાખતા ટિકિટ તપાસ કરનારા અધિકારીઓ માટે કોટ અને ટાઈ ફરજીયાત નહીં હોય તો ચાલશે. જોકે, તેઓ આ દરમિયાન પોતાના નામ અને પદનું કાર્ડ પહેરી રાખવું પડશે.
જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રેનોમાં ટિકિટોની તપાસ કરનાર તમામ ટીટીઈ કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા જરૂરી સંખ્યામાં માસ્ક, ફેસ શીલ્ડ, ગ્લવ્ઝ, માથું ઢાંકવાના કવર, સેનેટાઈઝર, સાબુ સહિત અન્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એ ધ્યાનમાં રાખતા તપાસ કરવામાં આવી શકે છે કે ટીટીઈ હકિકતમાં સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યો છે કે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રેનમાં સવાર ટિકિટ તપાસ કર્મચારીએ જો જરૂર પડે તો મૈગ્નિફાઈંગ ગ્લાસ આપવામાં આવશે. જેનાથે તેઓ દૂરથી જ ટિકિટો જોઈ શકે અને શારીરિક સંપર્કથી બચી શકે.