જીએસટી પરિષદે નાના વેપારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. પરિષદની 32મી બેઠક બાદ નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે નાના વેપારીઓનાં અવકાશને જીએસટીની અંદર વધારી દેવામાં આવેલ છે. ત્યારે સેવા આપનારા વેપારીઓને વર્ષમાં એક વાર જ રિટર્ન દાખલ કરવાનું રહેશે.
40 લાખ રૂપિયાની થઇ સીમામર્યાદાઃ
આ સિવાય નાના વેપારીઓની સીમાને 20 લાખ રૂપિયાથી વધારીને 40 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવેલ છે. જો કે આ વેપારીઓને દર ત્રણ મહીના પર ટેક્સ જમા કરવાનો રહેશે. જે આ વર્ષની પરિષદની પહેલી બેઠક છે.
FM Arun Jaitley after GST meet: Exemption limit for GST for those with a turnover up to 20 lakh has been increased to 40 lakhs. pic.twitter.com/ewrJn1onDy
કમ્પોઝિશન સ્કીમની વધી સીમામર્યાદાઃ
જીએસટી પરિષદની બેઠકમાં નાના નાના વેપારીઓને રાહત આપવા પર સહમતિ દર્શાવાઇ છે. બેઠકમાં કમ્પોઝિશન સ્કીમનો અવકાશ વધારવા અને જીએસટીની સીમાને લઇને અનેક ફેરફાર પણ કરવામાં આવ્યાં છે.
કમ્પોઝિશન સ્કીમની સીમા 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી દેવામાં આવી છે. એટલે કે હવે ડોઢ કરોડ રૂપિયાનું ટર્નઓવરવાળા નિર્માતાને આ સ્કીમનો ફાયદો મળશે. નવો નિયમ 1 એપ્રિલથી લાગુ કરાશે.
FM Arun Jaitley after GST meet: Services and goods providers will get the benefit of composition tax https://t.co/Hfy3tDpzIe
કમ્પોઝિશન સ્કીમનો અવકાશ વધારવા સિવાય એસએમઇ (સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ)ને વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છુટ આપવામાં આવી છે. પહેલાં દર ત્રીજા મહીને રિટર્ન ભરવાનું રહેતું. જો કે હવે દર ત્રિમાસિક ટેક્સ ભરવાનો રહેશે.