પેટ્રોલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકાર લાંબા સમયથી ઈથેનોલ મિશ્રણનો પ્રયત્ન કરી રહી છે. આ દરમ્યાન સરકારે ઈથેનોલનું પ્રોડક્શન વધારવા માટે મોટું પગલું ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર ઘડી રહી છે આ પ્લાન
શેરડીના ઉપયોગને વધારવા માટે પ્રોત્સાહન આપવાની જાહેરાત
સરકારે શુક્રવારે ખાંડની મિલોને ઈથેનોલ બનાવવા માટે શેરડીના ઉપયોગને વધારવા માટે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. જે હેઠળ આ મહિનાથી ઈથેનોલ ઉત્પાદન કરવા માટે શેરડીનું પરિવહન કરનારી ખાંડની મિલોને તેના નિયમિત ક્વોટા સિવાય માસિક વેચાણ માટે શેરડીના પરિવહનની માત્રાની સરખામણીએ ખાંડના ક્વોટાની ફાળવણી કરવામાં આવશે.
દેશમાં ખાંડની માંગ-પુરવઠાની સ્થિતિને સ્થિર રાખવા માટે ખાંડની પૂર્વ-મિલ કિંમતોને સ્થિર કરવા અને ઘરેલું વપરાશ માટે યોગ્ય ઉપલબ્ધતા નક્કી કરવા માટે સરકાર જૂન 2018થી મિલ મુજબ માસિક સુગર ક્વોટા નક્કી કરી રહી છે. સુગરનો ક્વોટા તેની પાસે અત્યારનો સ્ટોક, નિકાસ કામગીરી અને ખાંડને ઈથેનોલમાં બદલવાના આધારે નક્કી કરવામાં આવે છે.
જાણો, ખાદ્ય મંત્રાલયે નિવેદનમાં શું કહ્યું
કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, બી હેવી મોલેસેજ, શેરડીનો રસ, ખાંડની સિરપ, ખાંડથી ઈથેનોલના ઉત્પાદન માટે ઉપયોગમાં કરવામાં આવેલા ખાંડ પર પ્રોત્સાહન તેના માસિક રિલીઝ ક્વોટામાં ઓક્ટોબર 2021થી બમણુ કરી દેવામાં આવ્યું છે.
સુગર મિલોને પ્રોત્સાહિત કરવા ભરાયુ આ પગલું
આ ઈથેનોલ ઉત્પાદન માટે મોટાભાગની શેરડી- ખાંડનો ઉપયોગ કરનારી ખાંડ મિલોને પ્રોત્સાહિત કરવા તથા પેટ્રોલની સાથે ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ મુજબ પેટ્રોલની સાથે ઈથેનોલ મિશ્રણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું છે.