બૅંકોએ તહેવારની સિઝનમાં વાહન ખરીદવા ઇચ્છુક લોકોને રાહત આપી છે. ઑટો લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.
સરકારી બૅંકોએ ઘટાડ્યા વ્યાજદર
ઑટો લોન લેવાના ઘણા છે ફાયદા
કોરોનાકાળમાં કંપનીઓને ભારે નુકસાન!
કોરોના કાળમાં ઓટોમોબાઇલ કંપનીઓને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. આ દરમિયાન લોકોમાં પૈસા બચાવવાની પ્રવૃતિ વધી છે.
શું છે ઑટો લોનના ફાયદા
જો તમે પણ કાર ખરીદવા માગો છો તો ઓટો લોન તમારા માટે સૌથી સારી સાબિત થઇ શકે છે. તેની સાથે તમે નવી અને જૂની કોઇ પણ કાર ખરીદી શકો છો. તેનું અપ્રુવલ ઝડપથી મળી જાય છે. સાથે જ ગ્રાહકોને ફિક્સ્ડ અનો ફ્લોટિંગ રેટનું વ્યાજ નક્કી કરવાની સુવિધા મળે છે. તેની સૌથી ખાસ બાબત તે છે કે તેમાં કોલેટ્રલની જરૂર હોતી નથી કારણકે ગાડી જ સિક્યોરીટી હોય છે. ગ્રાહક પોતાની સુવિધાના હિસાબથી પેમેન્ટની રીત સિલેક્ટ કરી શકે છે.
આ વાતનું રાખો ધ્યાન
જો તમે ઑટો લોન લેવા જઇ રહ્યાં છો તો બીજી બૅંકની ઑટો લોનના વ્યાજદર પણ જાણી લેજો કારણકે બની શકે તમને બીજી બૅંક પાસે સસ્તી લોન મળી જાય.
બૅંકના વ્યાજદર
હાલના સમયમાં પંજાબ એન્ડ સિંધ બેન્ક સૌથી સસ્તી લોન આપે છે. તે ગ્રાહકોને 6.80 થી 7.90% પર ઑટો લોન આપી રહ્યું છે. જો તમે 5 વર્ષની લોન લો છો તો ગ્રાહકોની EMI 1971 થી 2023 રૂપિયા હશે.