સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુપીના ગોરખપુરમાં એક અજબ ઉદાહરણ આપીને લોકો પાસેથી ભાજપ માટે વોટ માંગ્યા.
ગોરખપુરમાં સંરક્ષણ મંત્રી રાજનાથની ચૂંટણી રેલી
અજબ ઉદાહરણ આપીને લોકો પાસેથી માંગ્યા વોટ
કહ્યું 'દેવી લક્ષ્મી 'સાયકલ' કે 'હાથી' પર નહીં કમળ પર આવે છે
સપાનું ચૂંટણી ચિન્હ છે સાયકલ જ્યારે બસપાનું ચૂંટણી ચિન્હ છે હાથી
નેતાઓ જાતજાતની લોભામણી ઓફરો અને અવનવા ઉદાહરણ આપીને લોકો પાસેથી વોટ માગતા હોય છે. હવે રાજનાથે પણ એક અજીબ ઉદાહરણ આપીને લોકો પાસેથી વોટ માંગ્યા છે. યુપીના ગોરખપુરમાં ભાજપ માટે મત માગતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ અને ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહે સમાજવાદી પાર્ટીની ચૂંટણી ચિન્હ સાયકલ અને બસપાના ચૂંટણી ચિન્હ હાથીનું ઉદાહરણ આપીને ભાજપ માટે વોટ માંગ્યા. રાજનાથે કહ્યું કે દેવી લક્ષ્મી કોઈના ઘેર 'સાયકલ' કે 'હાથી' પર નહીં કમળ પર આવે છે. ઉલ્લેખનીય છે કે રાજનાથ તેમની પાર્ટી ભાજપના ચૂંટણી ચિન્હ કમળ માટે વોટ માંગ્યા હતા.
Goddess Laxmi doesn't visit one's house on 'Cycle', or 'Elephant'. Nor does she show up waving her 'Hand'. She only comes on 'Lotus'. Isn't that true?...Yearly Rs 6000 for the poor, free ration, pucca houses to several people have been given:Defence Min Rajnath Singh in Gorakhpur pic.twitter.com/JNDhubPpvo
ગરીબોને 6000 રુપિયા, મફત અનાજ, પાક્કા આવાસ અપાયા
કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પંજાને ટાંકતા રાજનાથે કહ્યું કે દેવી લક્ષ્મી પંજો પણ ફરકાવતા નથી. તેઓ તો ફક્ત કમળ પર બિરાજીને આવે છે. રાજનાથનો કહેવાનો અર્થ એવો હતો કે લોકોએ કમળને વોટ આપવા જોઈએ. તેમણે કહ્યું કે દેવી લક્ષ્મી ફક્ત કમળ પર બિરાજે છે. શું આ વાત સાચી નથી? રાજનાથે કહ્યું કે ગરીબોને 6000 રુપિયા, મફત અનાજ, પાક્કા આવાસ આપવામાં આવ્યાં છે.
યુપીમાં ભાજપ સત્તાએ આવશે તો મફત વીજળી-અમિત શાહ
અમિત શાહે પણ યુપીના લોકોને મોટો વાયદો આપ્યો છે. અમિત શાહે કહ્યું કે જો યુપીમાં ભાજપ ફરી વાર સત્તાએ આવશે તો લોકોને મફત વીજળી આપવામાં આવશે.