રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ જે કરાવવું હોય તે કામ કરાવી લો, હવે હું 2-5 દિવસનો જ મહેમાન છું તેવું કહી રહ્યાં હતા.
રાજસ્થાનમાં મંત્રીમંડળ વિસ્તરણના ભણકારા
શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાનો વીડિયો વાયરલ
ગોવિંદ સિંહ ડોટાસરા વીડિયોમાં જણાવી રહ્યાં છે
જે કરાવવું હોય તે કામ કરાવી લો, હું 2-5 દિવસનો જ મહેમાન
રાજસ્થાનમાં મંત્રીમંડિળ વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે અને તેમાં પોતાનું પત્તું કપાયાની આશંકા આવી જતા ગોવિંદ ડોટાસરા આવું બોલ્યાં હતા. વાયરલ વીડિયોમાં તેઓ કોઈ કામ બાબતે બોલી રહ્યાં હતા જેમાં એક વ્યક્તિને તેઓ કહી રહ્યાં હતા કે સોમવારે આવો, એક મિનિટમાં પતાવી દઈશું. કારણ કે હવે હું બે-પાંચ દિવસનો મહેમાન છું. જે કરાવવું હોય તે કરાવી લો.
રાજસ્થાનમાં મંત્રીમંડળ વિસ્તરણના ભણકારા વાગી રહ્યાં છે. કોંગ્રેસ કમિટી મહાસચિવ અને રાજસ્થાનના પ્રભારી અજય માકને પણ રાજસ્થાન પહોંચી ચૂક્યા છે.
ગેહલોત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે
રાજસ્થાનમાં આગામી 28 જુલાઈએ ગેહલોત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અજય માકનની ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને 28 જુલાઈ સુધી જયપુરમાં જ રહેવાનો નિર્દેશ અપાયો છે. બેઠક બાદ પ્રભારી અજય માકને કહ્યું હતું કે, મંત્રી મંડળમાં વિસ્તારણને લઈ નેતાઓ વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. તમામ કોંગ્રેસી નેતાઓ હાઈકમાન્ડની વાત સાંભળશે.
રાજસ્થાનમાં એવું તો કહી શકાય છે કે આગામી નવી કેબિનેટમાં પાયલટ જૂથનું સ્થાન ઉપર હશે. 28 જુલાઈએ રાજસ્થાનમાં ગેહલોત સરકારનું વિસ્તરણ થવાનું છે. જેમાં સચિન પાયલટનો હાથ ઉપર રહેશે તે નક્કી છે. એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સચિન પાયલટને રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવી શકે છે. પંજાબની માફક પાયલટને પ્રદેશ પ્રમુખ અને અશોક ગેહલોતને મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાશે અને બન્ને જૂથ વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવામાં આવશે કોંગ્રેસ ઈચ્છી રહ્યું છે કે જલદીમાં જલદી રાજસ્થાનમાં આ વિવાદનો અંત આવે અને આ જ કારણે કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન જયપુર પહોંચ્યા હતા શનિવારે બન્નેએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી.