રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અદાણી ટ્રાન્સમિશન વચ્ચે 5 વર્ષ પહેલાંની ડીલને લઈને વિવાદ ઊભો થયો છે. જાણો શું છે મામલો
રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અદાણી ટ્રાન્સમિશન વચ્ચે વિવાદ
ડીલની શરતોને પૂરી ન કરવાનો અનીલ અંબાણીનો આરોપ
5 વર્ષ પહેલાની ડીલને લઈને વિવાદ
રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અદાણી ટ્રાન્સમિશન વચ્ચે વિવાદ
દેશના સૌથી અમીર ગૌતમ અદાણી અને ઉધારનાં બોજ તળે દબાયેલા અનીલ અંબાણી વચ્ચે એક ડીલને લઈને વિવાદ ઉભો થયો છે. આ ડીલ 5 વર્ષ પહેલાની છે પણ અનીલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બીટ્રેશનમાં અદાણી સમૂહની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ વિરુદ્ધ દરવાજો ખખડાવ્યો છે. આ તણાવ વચ્ચે બંને કંપનીઓનાં રોકાણકારો ખૂબ કમાયા છે.
શેરની હાલત
અદાણી ટ્રાન્સમિશનનાં શેર સોમવારે 4000 રૂપિયાના સ્તરને પાર કરી ગયા હતા. કારોબાર દરમિયાન કંપનીનાં શેર વીકના હાઈ ૪૦૪૭ રૂપિયાના આંકડાને સ્પર્શ કર્યો હતો. એક દિવસ પહેલાનાં મુકાબલામાં શેરમાં ૭૪.૨૦ રૂપિયા કે 1.૮૯ ટકાનો વધારો જોવા મળ્યો. માર્કેટ કેપિટલની વાત કરીએ તો ૪ લાખ ૪૭ હજાર કરોડ રૂપિયા રહ્યો હતો.
આ પ્રકારે રિલાયંસ ઇન્ફ્રાનાં શેરમાં પણ વધારો જોવા મળ્યો. એક દિવસ પહેલાના મુકાબાલામાં શેરનાં ભાવમાં 11.૬૫ રૂપિયા કે ૭.૧૭ ટકાનો ઊછાળ જોવા મળ્યો. કારોબારના અંતમાં શેરનો ભાવ 174.10 રૂપિયા રહ્યો. કારોબાર દરમિયાન શેરનો ભાવ 178 રૂપિયા પહોંચ્યો. માર્કેટ કેપની વાત કરીએ તો ૪,૫૭૮.૬૬ કરોડ રૂપિયા રહ્યો.
શું છે અનીલ અંબાણીની કંપનીનો આરોપ
આર-ઇન્ફ્રાનો આરોપ છે કે અદાણી સમૂહની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે ડીલની શરતોને પૂરી કરી નથી. જોકે કઈ શરતો પૂરી નથી કરી, તેની સ્પષ્ટતા હજુ મળી નથી. હવે અદાણી ટ્રાન્સમિશન તરફથી પણ પ્રતિક્રિયા આવી ગઈ છે.
શું કહ્યું અદાણી ટ્રાન્સમિશને?
કંપનીએ કહ્યું કે આર ઇન્ફ્રાનો આરોપ નબળા તથ્યો પર આધારિત છે. અદાણી ટ્રાન્સમિશન કહે છે કે અમે વિવાદો સુલજાવવા માટે શેર ખરીદ સમજૂતી હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છીએ. અમે તથ્યોના આધાર પર જવાબ આપીશું અને રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે સુનાવણીમાં પોતાના દાવા પેશ કરીશું.