OBC સમાજ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જાતિના પ્રમાણપત્ર અને આવકના દાખલાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. માર્ચ 2020માં પુરી થતી મુદ્દતમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
OBC સમાજ માટે રાજ્ય સરકારનો નિર્ણય
જાતિના પ્રમાણપત્રની મુદતમાં 1 વર્ષનો વધારો કરાયો
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
આ મુદ્દત વધારા માટે કોઇપણ પ્રકારની અરજી કરવાની રહેશે નહીં. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર કઢાવવા વિદ્યાર્થીઓની ભીડ એકઠી ન થાય તે માટે નિર્ણય લેવાયો છે.
ઓબીસી સમાજ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ઓબીસી માટેના જાતિના પ્રમાણપત્ર તથા આવક દાખલાની મુદ્દત ૩ વર્ષની હોય છે. જો કે, આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો હતો કે, જે નોન ક્રિમિલેયર પ્રમાણપત્રોની સમયમર્યાદા 31 માર્ચ 2020ના પૂર્ણ થતી હોય તે આપોઆપ 31-3-2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવામાં આવશે.
મુદ્દત વધારાતા 17 લાખ લોકોને મળશે લાભ
આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે આવકના દાખલા માટે રાજ્યના 13 લાખ 92 હજાર અને નોન ક્રિમિલેયર સર્ટીફિકેટ માટે 2 લાખ 98 હજાર લોકોને મળીને કુલ 17 લાખ જેટલા લોકોને લાભ થશે.