બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Gamkhwar accident in Tamil Nadu, 55 passenger bus falls into 100 feet deep creek, 8 dead, many injured
Pravin Joshi
Last Updated: 11:01 PM, 30 September 2023
તમિલનાડુમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો જ્યારે એક પ્રવાસી બસ અચાનક ખાડામાં પડી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરીમાં શનિવારે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 8 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પીડિતો તેનકાસી જિલ્લાના કદાયમના રહેવાસી હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ખાઈમાં પડી હતી અને સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર અને રેસ્ક્યૂ સર્વિસના સભ્યો પીડિતોને મદદ કરવા અને ઘાયલોને બચાવવા દોડી ગયા હતા. મોટાભાગના ઘાયલ લોકોને તબીબી સારવાર માટે નજીકના કોઈમ્બતુર મોકલવામાં આવ્યા છે.
VIDEO | Eight people dead, more than thirty injured after a tourist bus fell into a gorge in Coonoor area of Tamil Nadu's Nilgiris district.
— Press Trust of India (@PTI_News) September 30, 2023
CM Stalin has announced an ex-gratia amount of Rs 8 lakh each for the kin of dead and Rs 1 lakh each for seriously injured while Rs 50,000… pic.twitter.com/GtKlRiZimg
ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા
કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવના સુંદરે કહ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટના કુન્નૂર નજીક મારાપાલમ પાસે બની હતી. ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહેલી બસમાં 55 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા.
પરિવારજનોને 8 લાખ રૂપિયાની મદદની જાહેરાત
સીએમ સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 1 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 25 ઘાયલ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ લગભગ 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. હાલમાં ઘાયલો અને મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army