અમદાવાદઃ હું VHPમાં હતો ત્યારે જે કામ કરતો હતો તે કામ આજે પણ કરીશ. મને VHPમાંથી ધક્કા મારીને કાઢી મુકવામાં આવ્યો છે. મેં દેશનાં વડાપ્રધાનની ખુરશી નથી માંગી. મેં તો એ માંગ કરી છે કે જે માંગ અનેક વર્ષોથી હિન્દુઓની છે. આ માંગ મારી નહીં પરંતુ હિંદુઓ અને RSSની છે.
મારી માંગ છે તે જનસંઘ અને બાદમાં બીજેપીની માંગ રહી છે. બહુમત આવતાં જ રામ મંદિરની માંગ પૂર્ણ કરવાની મેં જાહેરાત કરી હતી. 1982માં સરકાર હતી નહીં ત્યારે પણ રામ મંદિર કેસ કોર્ટમાં હતો. નરેન્દ્ર મોદી "મન કી બાત"માં એવું કહે કે મારો તેમની સાથે શું અણબનાવ છે.
જો મારી ખુરશી માટેની લડત હોત તો ગુજરાતનાં CMની ખુરશી જવા ના દીધી હોત. મારા અને નરેન્દ્ર મોદી વચ્ચે વ્યક્તિગત કોઈ જ ઝઘડો નહીં. નરેન્દ્ર મોદીની સરકારે કાર સેવકો સાથે વિશ્વાસઘાત કર્યો. મને કહેવામાં આવ્યું કે તમે રામ મંદિર અંગેની માંગ છોડી દો.
હું પદ કે પ્રતિષ્ઠા માટે નીકળ્યો ન હતો માટે હું વિશ્વાસઘાત ના કરી શકું. અમારી માંગ છે કે સંસદમાં કાનૂન બને. ગૌ હત્યા અંગે સંસદમાં કડક કાયદો પણ બને. સમાન નાગરિક સંહિતા લાગુ થાય. કાશ્મીરમાંથી કાલે 370 રદ થાય. કાશ્મીરી પંડિતોનું પુનઃવસન થાય. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધવા અંગે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા.
તોગડિયાએ નિવેદન આપતાં જણાવ્યું કે "મોદી સરકારમાં પેટ્રોલ પર 40 રૂપિયા ટેક્ષ લેવાય છે. શ્રીલંકા ભારતમાંથી ઇંધણ લઇ જતી હોવા છતાં તે ભારત કરતા ઇંધણ સસ્તું વેચે છે. આધાર કાર્ડ જીએસટી એફડીઆઈ સહિતનાં મુદ્દે પણ હવે યુ ટર્ન આવી ગયો. હવે તો તમામ પૈસા બેંકોમાં ગયા અને એ પૈસા નિરવ મોદી લઈ ગયો."