પાકિસ્તાન તહરીકે ઈંસાફ કોર કમિટીની પરામર્શ અને મંજૂરી બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસના નામની ભલામણ કરી છે.
પાકિસ્તાનના રાજકારણમાં મોટા ઉલટફેર
વિપક્ષના હોબાળો બાદ ઈમરાન ખાનની ખુરશી ડગી
પીટીઆઈ તરફથી આ નામની કરી ભલામણ
પાકિસ્તાન તહરીકે ઈંસાફ કોર કમિટીની પરામર્શ અને મંજૂરી બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ ગુલઝાર અહમદનું નામ કાર્યવાહક પ્રધાનમંત્રી માટે સૂચિત કર્યું છે. પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ ટ્વિટર પર આ નિર્ણયની જાહેરાત કરી હતી.
પાક. પૂર્વ ચીફ જસ્ટિસ ગુલઝાર અહમદનો પરિચય
ગુલઝાર અહમદ 21 ડિસેમ્બર 2019થી 1 ફેબ્રુઆરી 2022 સુધી પાકિસ્તાનના 27માં મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે. 2 ફેબ્રુઆરી 1957ના રોજ જન્મેલા અમહદના પિતા નૂર મુહમ્મદ કરાચીમાં મોટા વકીલ હતા. અહમદે પોતાની શરૂઆતી અભ્યાસ કરાચીમાં આવેલી ગુલિસ્તાન સ્કૂલમાંથી કર્યો હતો. તેણે કરાચીની ગવર્નમેન્ટ નેશનલ કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી હતી અને સિંધ મુસ્લિમ લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કરી ત્યાં જ પ્રેક્ટિસ કરી હતી.
રાષ્ટ્રપતિએ નોટિફિકેશન જાહેર કર્યું
હકીકતમાં જોઈએ તો, સોમવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ એક નોટિફિકેશન જાહેર કરીને પ્રધાનમંત્રી અને નિવર્તમાન નેશનલ અસેંબલીમાં વિપક્ષ નેતાને પાકિસ્તાનના સંવિધાનના અનુચ્છેદ 224 (1એ) અંતર્ગત કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે નિમણૂંક કરવા એક યોગ્ય વ્યક્તિનું નામનો પ્રસ્તાવ મોકલવા કહ્યું હતું.
રાષ્ટ્રપતિના પત્રમાં કરી આ વાતની જાણ
તો વળી રાષ્ટ્રપતિના પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ઈમરાન ખાન, કાર્યવાહક પ્રધાનમંત્રીની નિમણૂંક થાય ત્યાં સુધી દેશના પ્રધાનમંત્રી બની રહેશે. રાષ્ટ્રપતિએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ઈમરાન અહમદ ખાન પાકિસ્તાનના સંવિધાનના અનુચ્છેદ 224 A(4) અંતર્ગત કાર્યવાહક પ્રધાનમંત્રીની નિમણૂંક થાય ત્યાં સુધી દેશના પ્રધાનમંત્રી બની રહેશે. જ્યારે આ બાજૂ કેબિનેટ સચિવાલયના એક નોટિફિકેશન જાહેર કરીને કહ્યું હતું કે, ખાન તાત્કાલિક પ્રભાવથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ પર નહીં રહે.