કોવિડ રાહત સામગ્રીમાં GSTની છૂટછાટની સમિતિની રચના કરાઈ જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ, કન્વીનર સહિત 8 સભ્યોનો ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં સમાવેશ
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ સમિતિમાં સ્થાન
DyCM નીતિન પટેલની પસંદગી
GSTની છૂટછાટ માટે બનાવાયી છે સમિતિ
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ સમિતિમાં DyCM નીતિન પટેલની પસંદગી કરાઈ છે. કોવિડ રાહત સામગ્રીમાં GSTની છૂટછાટની સમિતિ બનાવાય છે તેમાં નીતિન પટેલનો સમાવેશ કરાયો છે. કન્વીનર સહિત 8 સભ્યોનો ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં સમાવેશ કરાયો છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાના કન્વીનર પદે સમિતિની રચના કરવામાં આવી છે.
આ GST કાઉન્સિલની 43મી બેઠક બાદ સમિતિની રચના કરાઈ છે. કોવિડ સારવારની સામગ્રીમાં GSTની રાહત પર સમિતિમાં ભલામણ કરશે. 8 જૂન સુધી સમિતિએ નક્કી કરેલા સૂચનો GST કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના DyCM અજિત પવાર, ગોવાના ટ્રાંસપોર્ટ મંત્રી ગોદીન્હોનો પણ સમાવેશ કરાયો છે. UP, કેરળ, ઓડિશા, તેલંગાણાના નાણામંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ગઈકાલે દિલ્હી ખાતે યોજાઈ હતી ખાસ બેઠક
ગઈકાલે દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં કોવિડ અને બ્લૅક ફંગસને લઈને વ્યાપક ચર્ચા થઈ અને તેને લઈને કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કોવિડ 19ની સારવાર માટે આવશ્યક મહત્વપૂર્ણ ઉપકરણોની ઉપલબ્ધતા વધારવાની દિશામાં GST પરિષદે આ સાધનો પર GST છૂટ આપીને 31 ઓગસ્ટ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
બેઠકમાં વિવિધ મુદ્દા પર થઈ ચર્ચા
તેમણે કહ્યું કે કોવિડ સંબંધિત ઉપકરણોનો મુદ્દો બેઠકનો મુખ્ય એજન્ડા રહ્યો અને આ મામલે વિસ્તૃત ચર્ચા થઈ. જો કે બેઠકમાં કેટલાંક અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યાં અને તેના પર પણ ચર્ચા થઈ.
બ્લૅક ફંગસની દવા પર પણ છૂટ
નાણામંત્રીએ કહ્યું કે દેશમાં બ્લૅક ફંગસના વધતા કેસોને જોતા કાઉન્સિલે તેના ઈલાજમાં કામ આવનારી દવા એમ્પોટેરિસીન-Bને પણ GSTમાં છૂટ આપી છે. જ્યારે કોવિડ રાહત સામગ્રીની આયાત પર IGST છૂટને 31 ઓગસ્ટ સુધી વધારી દેવાઈ છે.