ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તઝાકિસ્તાનના શહેર દુશાંબેમાં ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરીને સરહદીય વિવાદના ઉકેલ પર મંથન કર્યું હતું.
દુશાંબેમાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની બેઠક
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે હાજરી આપી
ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે કરી મુલાકાત
યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર સ્વિકાર્ય નથી
વિદેશ મંત્રી એસ જયશંકરે દુશાંબેમાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની બેઠકથી અગલ ચીનના પોતાના સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી. દુશાંબેમાં ચીની સમકક્ષ સાથે વાતચીત પર એસ જયશંકરે કહ્યું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે એક કલાક ચાલેલી દ્વીપક્ષીય વાર્તા દરમિયાન પશ્વિમી ક્ષેત્રમાં એલએસી સંબંધિત પેન્ડીંગ મુદ્દાઓ પર ચર્ચા કરી.
Concluded a one-hour bilateral meeting with State Councilor and FM Wang Yi of China on the sidelines of Dushanbe SCO Foreign Ministers Meeting.
Discussions focused on the outstanding issues along the LAC in the Western Sector. pic.twitter.com/YWJWatUErI
'સંબંધોના વિકાસ માટે પૂર્ણ શાંતિ બહાલી જરૂરી'
લદ્દાખ સીમાને લઇને ચીની વિદેશ મંત્રી સાથે વાતચીત પર વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે 'બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યું કે યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર સ્વિકાર્ય નથી. સંબંધોના વિકાસ માટે સીમાવર્તી ક્ષેત્રોમાં પૂર્ણ શાંતિ બહાલી અને સમરસતાને યથાવત રાખવી જરૂરી છે.'
સૈન્ય કમાંડરોની ટૂંક સમયમાં બેઠક'
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મેથી જ ભારત અને ચીન વચ્ચે LAC વિવાદ ચાલી રહ્યો છે. સૈન્ય અને કૂટનીતિક સ્તરની વાર્તા બાદ કેટલાક સ્થળો પરથી બંને દેશોના સૈનિક પોતાના પૂર્વવર્તી જગ્યા પર જતા રહ્યા, પરંતુ અત્યારે પણ એલએસીને લગતા ઘણા વિસ્તારોમાંથી સૈનિકોની વાપસી થઇ શકી નથી. આ બેઠક બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે, વરિષ્ઠ સૈન્ય કમાંડ્કરોની જલદી જ બેઠક બોલાવવા પર સહમતિ બની છે.
બન્ને દેશોને સ્વીકાર્ય હોય તેવો ઉકેલ શોધવો જોઈએ.
બન્ને મંત્રીઓએ એ વાતે સહમતી વ્યક્ત કરી કે બન્ને દેશોને સ્વીકાર્ય હોય તેવો ઉકેલ શોધવો જોઈએ. એક પણ દેશ તણાવ વધારનારુ પગલું નહીં ભરે. હાલની સ્થિતિને લાંબી ખેંચવી એક પણ દેશ માટે સારી વાત નથી તેનાથી સંબંધો ખરાબ થાય છે.