અમદાવાદનું નવુ નજરાણુ હવે લોકો સમક્ષ ટૂંક જ સમયમાં ખુલ્લુ મુકાશે, જી,હા વિદેશમાં હોવાની અનુભૂતિ કરાવનાર ફૂટ ઓવરબ્રિજનું કરાશે લોકાર્પણ
અમદાવાદમાં સાબરમતી નદી પરનો ફૂટ ઓવરબ્રિજ તૈયાર
પ્રધાનમંત્રી નવા ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરશે
ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં યોજાશે કાર્યક્રમ
સરકાર મહાનગરોના વિકાસ માટે ખુબ ધ્યાન આપી રહી છે. તેમાં પણ અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે મેટ્રોથી લઈને બુલેટ ટ્રેન સુધીની કામગીરી ચાલી રહી છે. ચૂંટણી નજીક આવી રહી હોવાથી વિકાસના કાર્યોએ તેજ રફતાર પકડી છે. ત્યારે અમદાવાદનું નવુ નજરાણુ લોકો સમક્ષ ખુલ્લુ મુકાશે. જી , હા 75 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ ક્યારે થાય તેની રાહ જોવાઇ રહી હતી જે હવે ટૂંક સમયમાં જ પુરી થશે.,
પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના બંને કાંઠે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટ બનાવાયો છે. આ રિવરફ્રન્ટની નયનરમ્યતામાં વૃદ્ધિ કરવા તંત્રએ નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો આકર્ષક ફૂટ ઓવરબ્રિજ તૈયાર કર્યો છે. જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઑગષ્ટના અંતમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે.
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) August 10, 2022
સાબરમતી પર આકર્ષક ઓવરબ્રીજ તૈયાર
રાત્રનો જગમાગાટ અને રંગીલા શહેરમાં ફરવા જવાનું સપનું હોય અને સિંગાપુરના અવનવા બ્રીજો તમને આકર્ષી રહ્યા હોય તો હવે લાખો રૂપિયા ખર્ચીને સિંગાપુર જવાની જરૂર નથી. કારણ કે, આપણા અમદાવાદમાં સાબરમતી નદી પર પણ આવો જ આકર્ષક અને રંગબેરંગી ફૂટ ઓવરબ્રીજ તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજ પર અમદાવાદ સહિત ગુજરાત અને વિશ્વમાંથી આવતા પર્યટકો ફરવાની મજા માણી શકે છે.
અમદાવાદમાં આકાર પામ્યો અટલ બ્રિજ
દૂરથી જોતા જ તેને નજીકથી જોવાનું મન થઈ જાય અને નજીક પહોંચતા જ ત્યાંથી દૂર જવાનું મન નહીં થાય. કારણ કે, બ્રિજનું સ્ટ્રક્ટર એવી રીતે તૈયાર કરાયું છે કે, લોકોને ગમે ત્યાંથી ખેંચી લાવે. આ સુંદર ફૂટ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
શું છે બ્રિજની ખાસિયત ?
બ્રિજની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો બ્રિજ પર પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ લગાવવામાં આવી છે. આ સિવાય બ્રિજ પર ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરાયું છે અને વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર તેમજ 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા, તેમજ ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરીગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરીંગ લગાવાયું છે. તો રાત્રીના જગમગાટ માટે કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ લગાવાઈ છે. આમ આ બ્રિજનો રાત્રીનો નજારો ખુબ આકર્ષક હશે. આ બ્રિજની લંબાઇ 300મીટર છે.બ્રિજ બનાવવા માટે 2600 મેટ્રીક સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આશરે 75 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે. ખાણીપીણીનો સ્ટોલ ઉભો કરવામાં આવશે આ ઉપરાંત બ્રિજ પર આર્ટ કલ્ચર ગેલેરી પણ ઉભી કરાશે. અહીં આવનાર મુલાકાતીઓને પાર્કિંગની પ્રોબ્લેમ ન થાય તે માટે બ્રિજના પશ્ચિમ અને પૂર્વ છેડે મેલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રિજ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.પદયાત્રીઓ, સાઇક્લિસ્ટોના આવન-જાવનની વ્યવસ્થા કરી શકે તેવી પણ વ્યવસ્થા કરાઇ છે.
ફૂટ ઓવરબ્રિજમાં પણ પ્રવેશ ફી અને બેસવાના કલાકો નક્કી કરાશે
ફૂટ ઓવરબ્રિજમાં પણ તંત્ર પ્રવેશ ફી રાખશે. તેની સાથે અંદર પ્રવેશ્યા બાદ બીજા છેડેથી ચોક્કસ સમયમર્યાદામાં નાગરિકોએ બહાર નીકળવું પડશે એટલે કે ત્યાંના બાંકડા પર બેસવાના કલાકો નક્કી કરાશે