માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણનો જન્મ અનેક સંઘર્ષોની સાથે થયો હતો. પરંતુ તેનો અંશ માત્ર પણ આ બાળ સ્વરૂપ પર ક્યારેય જોવા મળતો નથી. તેઓ હંમેશા વાંસળી વગાડતા અને મસ્તીના મૂડમાં સદાય નટખટ સ્વરૂપમાં જ જોવા મળે છે. તેમનું આ રૂપ માનવમાત્રને શીખ આપે છે તે કોઈ પણ સમસ્યામાં સદૈવ હસતા રહેવું. જાણો શ્રીકૃષ્ણના જન્મ સમયે કઈ અનોખી ઘટનાઓ ઘટી હતી તે વિશે.
જન્માષ્ટમીના તહેવારની થઈ રહી છે તૈયારીઓ
શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ મોહક અને નટખટ છે
શ્રીકૃષ્ણ જન્મ સાથે જોડાયેલી છે 5 અનોખી ઘટનાઓ
ઊંઘમાં વસુદેવે કર્યું આ મહાન કામ
શ્રીકૃષ્ણનો જન્મ થયો તો જેલના દરેક સંતરી યોગમાયા દ્વારા નિંદ્રામાં સમાઈ ગયા. તે સમયે ભારે વરસાદ થઈ રહ્યો હતો અને બંદીગૃહના દરવાજા પણ આપમેળએ ખુલી ગયા. વસુદેવજી નાના શ્રીકૃષ્ણને ટોપલીમાં રાખીને ભારે વરસાદમાં તેમને લઈને જેલની બહાર ગયા. વસુદેવજી મથુરાથી નંદગામ પહોંચી ગયા પરંતુ આ ઘટનાનો તેમને અંદાજ પણ ન આવ્યો.
યમુનાજીનું રૌદ્ર રૂપ થયું શાંત
કૃષ્ણ જન્મ સમયે ભયંકર વરસાદ થઈ રહ્યો હતો. યમુના નદી રૌદ્ર રૂપ ધારણ કરી ચૂકી હતી. વસુદેવજી કૃષ્ણને લઈને યમુનામાં પ્રવેશ્યા ત્યારે જ ચમત્કાર થયો અને યમુનાનું જળ શ્રીકૃષ્ણના પગને અડ્યું અને પછી તે બે ભાગમાં વહેંચાઈ ગયું. એક તરફ રસ્તો બની ગયો અને વસુદેવજી ગોકુળ પહોંચી ગયા.
બાળકોની થઈ અદલાબદલી, કોઈ જાણી શક્યું નહીં
વસુદેવ શ્રીકૃષ્ણને યમુનાની પેલે પાર ગોકુળમાં મિત્ર નંદગોપના ઘરે લઈ ગયા. અહીં નંદની પત્ની યશોદાજીએ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવજી શ્રીકૃષ્ણને યશોદાની પાસે સૂવડાવીને એ કન્યાને સાથે લઈ આવ્યા.
નંદરાયે કર્યું સ્વાગત
કથા અનુસાર નંદરાયજીને ત્યાં કન્યા જન્મી હતી પણ તેમને ખ્યાલ આવ્યો કે વસુદેવજી કૃષ્ણમને લઈને આવી રહ્યા છે તો તેઓ ઘરના દ્વારે તેમની પ્રતિક્ષા કરવા લાગ્યા. વસુદેવજી આવ્યા અને પોતાના ઘરે જન્મેલી દીકરીને વસુદેવજીને આપી. ઘટના બાદ નંદરાય અને વસુદેવ બંને બધું ભૂલી ગયા. આ બધું યોગમાયાના પ્રભાવથી જ થયું હતું.
દેવી વિંધ્યવાસીનીનું પ્રાગટ્ય
વસુદેવજી નંદબાબાના ઘરે જન્મેલી કન્યા એટલે કે યોગમાયાને લઈને ચૂપચાપ મથુરાની જેલમાં પરત આવ્યા અને કંસને દેવકીનું આઠમું સંતાનના જન્મના સાચાર મળ્યા તો તે કારાગારમાં પહોંચ્યા. અહીં તેણે નવજાત બાળકીને પછાડીને મારવાની કોશિશ કરી પણ કન્યા અચાનક કંસના હાથમાંથી છૂટીને આકાશમમાં પહોંચી અને દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. તેણે કંસ વધની ભવિષ્યવાણી કરી. આ પછી તે ભગવતી વિંધ્યાચલ પર્વત પર પરત ફરી અને આજે પણ તેની પૂજા અને આરાધના કરાય છે.