અમદાવાદમાં બોપલ ચોકડી પાસે ઈસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ. બિલ્ડિંગના 14 અને 15માં માળે અચાનક આગ ભભૂકી હતી. જો કે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં બોપલ ચોકડી પાસે લાગી આગ
ઇસ્કોન પ્લેટિનિયમ બિલ્ડિંગમાં લાગી આગ
20 જેટલા લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા
બોપલ ચાર રસ્તા પાસે આવેલી ઇસ્કોન પ્લેટિનિયમ બિલ્ડિંગમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયરવિભાગની પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે બિલ્ડિંગમાંથી 20 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. બિલ્ડિંગ ઉંચી હોવાથી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ત્યારે કેટલાક સવાલ થાય છે કે શું ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નથી? રહેણાંક વિસ્તારમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાય તો? કેમ બને છે અચાનક આગની દુર્ઘટના? શું ફાયર સેફ્ટીનું ધ્યાન નથી રખાતું?