1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે નવા વર્ષમાં આપની રોજિંદી જીંદગી સાથે જોડાયેલ અનેક ચીજવસ્તુઓ મોંઘી અને સસ્તી થઇ ચૂકી છે. આ સાથે જ નવા નાણાંકીય વર્ષમાં ટેક્સ સાથે જોડાયેલ અનેક મહત્વનાં ફેરફાર પણ થયાં છે. આની અસર કરોડો નોકરીનો વ્યવસાય કરતા લોકો પર પણ પડવા જઇ રહ્યો છે. આજે અમે આ રિપોર્ટમાં ટેક્સ સાથે જોડાયેલ 5 મોટાં ફેરફારોને વિશે પણ જણાવીશું.
પ્રથમ ફેરફારઃ
પહેલો મોટો ફેરફાર ઇન્કમ ટેક્સનાં સ્લૈબ સાથે જોડાયેલ છે. હકીકતમાં મોદી સરકારે અંતરિમ બજેટ 2019માં 5 લાખ રૂપિયા સુધીની ઇન્કમને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 એપ્રિલથી લાગુ થઇ ચૂકેલ છે. આનો અર્થ એ થયો કે જો આપની વાર્ષિક ઇન્કમ 5 લાખ રૂપિયા સુધીની છે તો આપે ઇન્કમ ટેક્ષ નહીં આપવાનો રહે. અત્યાર સુધી 2.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ઇન્કમ પર ટેક્સ ન હોતો દેવો પડતો હતો પરંતુ આનાંથી અધિક કમાણી પર 5 ટકાનો ટેક્સ લાગતો હતો. આ નિર્ણયનો ફાયદો નોકરીનો વ્યવસાય કરનારા લોકોને મળવા જઇ રહેલ છે.
બીજો મોટો ફેરફારઃ
સરકારે ઇન્કમ ટેક્સનાં સ્લૈબમાં રાહત આપવાની સાથે સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટને પણ 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરી દીધેલ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન તે એક એકમુશ્ત રકમ હોય છે કે જેને સેલરીથી થયેલ આપની કુલ કમાણીમાં ઘટાડી દેવામાં આવે છે.
ત્યાર બાદ ટેક્સેબલ ઇન્ક્મની કૈલ્ક્યુલેશન કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન અંતર્ગત મળનારી 50 હજાર રૂપિયાની છૂટનું કોઇ ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ આપવાની જરૂરિયાત નહીં હોય. એવામાં આપની કમાણી જો 5.50 લાખ રૂપિયા સુધીની છે ત્યારે પણ ટેક્સથી રાહત મળી શકે છે.
ત્રીજો ફેરફારઃ
અત્યાર સુધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, એવું માનવામાં આવતું હતું કે જો કોઇની પાસે એકથી વધારે ઘર છે તો મકાન માલિક તેની પર ભાડું જમા કરાવી રહેલ છે. આનો અર્થ એ થતો હતો કે તે એરિયાનાં રેટનાં હિસાબથી મકાન માલિકને નોશનલ રેંટ (કાલ્પનિક ભાડાં) પર ઇન્કમ ટેક્સ ભરવાનો રહેતો હતો. પરંતુ 1 એપ્રિલથી આ નિયમમાં મોટો ફેરફાર થયો છે. હવે એક જ વ્યક્તિનાં નામ પર 2 ઘર છે તો તેનાં બીજા ઘરને સેલ્ફ-ઓક્યુપાઇડ માનવામાં આવશે અને કોઇ પણ પ્રકારનો ટેક્સ પણ નહીં આપવાનો રહે.
ચોથો ફેરફારઃ
ચોથાં ફેરફારનો ફાયદો તે લોકોને થશે કે જે બેંકો અને પોસ્ટ ઑફિસની જમા રકમનાં વ્યાજથી કમાણી કરે છે. વ્યાજથી થનારી આવક પર ટીડીએસની લિમિટ વાર્ષિક 10 હજાર રૂપિયા હતી પરંતુ આ હવે વધીને 40 હજાર રૂપિયા થઇ ગઇ છે. અત્યાર સુધી આ જમાકર્તા 10 હજાર રૂપિયા પ્રતિ વર્ષ સુધીની વ્યાજ આવક પર કપાયેલ ટેક્સનું રિફન્ડ પણ માંગી શકતા હતાં.
પાંચમો ફેરફારઃ
જો આપે એક વર્ષથી વધારે સમય સુધી રોકાણ કર્યા બાદ નાણાંકીય વર્ષ 2018-19માં શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વેચેલ છે તો આપે ITRમાં આની જાણકારી આપવાની રહેશે અને આનાં પર નાણાંકીય વર્ષ 19-20માં ટેક્સ ચુકવવાનો રહેશે. હકીકતમાં, 2018માં રજૂ થનાર બજેટમાં સરકારે શેરોમાં થયેલ રોકાણ પર મળનાર એક લાખ રૂપિયાથી અધિકનાં રિટર્ન પર લોંગ ટર્મ કેપિટલ ગેન એટલે કે LTCG ટેક્સ લગાવી દીધો હતો.